Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: વિશ્વ બ્રાહ્મણ દિવસ નિમિત્તે ભગવાન પરશુરામની આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવ્યુ આયોજન

અંકલેશ્વર: વિશ્વ બ્રાહ્મણ દિવસ નિમિત્તે ભગવાન પરશુરામની આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવ્યુ આયોજન
X

તારીખ 1લી જૂનને વિશ્વ બ્રાહ્મણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી વિભાગ દ્વારા બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ પૂજન અર્ચનના કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ બંધુઓ અને ભગિનીઓ જોડાયા હતા.સદર કાર્યક્રમમાં પ્રમુખ ચંદુભાઈ જોશી, મહામંત્રી ભાસ્કર આચાર્ય,મહિલા પ્રમુખ ઇલાબહેન જોશી, આગેવાન કે.આર.જોશી,જિલ્લા પ્રમુખ જય તેરૈયા ઉપસ્થિત રહ્યા હતા

Next Story