અંકલેશ્વર: વિશ્વ બ્રાહ્મણ દિવસ નિમિત્તે ભગવાન પરશુરામની આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવ્યુ આયોજન

New Update
અંકલેશ્વર: વિશ્વ બ્રાહ્મણ દિવસ નિમિત્તે ભગવાન પરશુરામની આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું કરવામાં આવ્યુ આયોજન

તારીખ 1લી જૂનને વિશ્વ બ્રાહ્મણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી વિભાગ દ્વારા બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન પરશુરામની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે જ પૂજન અર્ચનના કાર્યક્રમો પણ યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ બંધુઓ અને ભગિનીઓ જોડાયા હતા.સદર કાર્યક્રમમાં પ્રમુખ ચંદુભાઈ જોશી, મહામંત્રી ભાસ્કર આચાર્ય,મહિલા પ્રમુખ ઇલાબહેન જોશી, આગેવાન કે.આર.જોશી,જિલ્લા પ્રમુખ જય તેરૈયા ઉપસ્થિત રહ્યા હતા

Read the Next Article

અંકલેશ્વર: નર્મદા લાઈફ લાઇન મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલનો પ્રારંભ કરાયો, સંતો, મહંતો, મહાનુભવો રહ્યા ઉપસ્થિત

અંકલેશ્વર - હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થ કેર & રિટેલ દ્વારા 110 બેડની વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ થયું છે

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યો પ્રારંભ

  • નર્મદા લાઈફ લાઇન હોસ્પિટલનો પ્રારંભ

  • સંતો મહંતોની હાજરીમાં પ્રારંભ કરાયો

  • સાંસદ મનસુખ વસાવા રહ્યા ઉપસ્થિત

  • રાહત દરે સારવાર મળી રહેશે

અંકલેશ્વરમાં રાહત દરે સેવાકીય પ્રવૃત્તિને વેગ આપવા નર્મદા હોસ્પિટલ પરિવાર દ્વારા નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલનો  શુભારંભ કરવામાં આવ્યો છે
અંકલેશ્વર - હાંસોટ રોડ પર વિસ્ટેરિયા હેલ્થ કેર & રિટેલ દ્વારા 110 બેડની વર્લ્ડ કલાસ સ્ટેટ ઓફ ધ આર્ટ હેલ્થ કેર યુનિટ નર્મદા લાઈફ લાઈન મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનું નિર્માણ થયું છે.ભરૂચ જિલ્લાની પ્રજાને આરોગ્ય સેવા રાહત દરે ઉપલબ્ધ કરાવનાર નર્મદા લાઈફ લાઈન હોસ્પિટલનું ઉદ્ઘાટન સાકેતધામના ગિરીશાનંદ સ્વામી અને વરિષ્ઠ સંઘ પ્રચારક હરીશ રાવલના હસ્તે સંતો, મહંતો, મહાનુભવો સહિતની વિશાળ ઉપસ્થિતિમાં કરાયું.
સાથે જ RSS ના હરીશભાઈ રાવલના 82 માં જન્મદિવસની પણ ઉજવણી કરાઈ. લોકાર્પણ ઉદ્ઘાટન પ્રસંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, ભરૂચ વિભાગના સંઘ સંચાલક બળદેવ પ્રજાપતિ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝગડીયાના ધારાસભ્ય રિતેશ વસાવા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહિત મહાનુભવો, સંતો, મહંતોએ ઉપસ્થિત રહી જયમીન પટેલ અને નર્મદા હોસ્પિટલ પરિવારને શુભકામનાઓ પાઠવી હતી.
Latest Stories