અંકલેશ્વર: પરિણિતાએ ગળેફાંસો લગાવી કર્યો આપઘાત,પરિવારજનોએ સાસરિયાઓને ઘરમાં કેદ કર્યા

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતી પરિણિતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો

New Update
અંકલેશ્વર: પરિણિતાએ ગળેફાંસો લગાવી કર્યો આપઘાત,પરિવારજનોએ સાસરિયાઓને ઘરમાં કેદ કર્યા


Advertisment W3.CSS

અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતી પરિણિતાએ ગળેફાંસો લગાવી આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ મામલામાં પરિવારજનોએ સાસરિયાઓ સામે હત્યા થઈ હોવાના આક્ષેપ કરતા પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અંકલેશ્વરના ભડકોદ્રા ગામની ક્રિષ્ણા પાર્ક સોસાયટીમાં રહેતી પરિણિતાએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. મૃતકના પરિવારજનોએ તેની હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે હોબાળો મચાવી દીધો હતો.

ઉશ્કેરાયેલા લોકોએ સાસરિયાઓને ઘરમાં કેદ કરી દીધાં હતાં. બનાવની જાણ થતાં ડીવાયએસપી ચિરાગ દેસાઇ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી. મૃતક પરિણિતાનું નામ શ્રધ્ધા અંકિત પાંડે હોવાનું જાણવા મળી રહયું છે.શ્રધ્ધાના પરિવારે આક્ષેપ કર્યો હતો કે, તેના શરીર પર ઈજાના નિશાન હોવાથી તેની હત્યા કરી મૃતદેહને લટકાવી દેવામાં આવ્યો છે.બીજી તરફ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે

Read the Next Article

અંકલેશ્વર: DGVCLનું વીજ મીટર ક્ષતિગ્રસ્ત થતા વીજ બિલ આવ્યું વધુ, ગ્રાહકે રજુઆત કરતા ભૂલ બહાર આવી

અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા

New Update
  • અંકલેશ્વરના અંદાડાનો બનાવ

  • વીજ મીટરમાં સર્જાય ક્ષતિ

  • સામાન્ય મકાનનું બિલ વધુ આવ્યું

  • પરિવારે વીજ કંપનીને કરી રજુઆત

Advertisment W3.CSS
અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપનીની બેદરકારીના પગલે સામાન્ય ઘરનું વીજબીલ વધુ આવતા પરિવારજનોએ વીજ કંપનીની કચેરીએ રજૂઆત કરી હતી અંકલેશ્વરના અંદાડા ગામમાં રહેતું એક સામાન્ય પરિવાર જે પોતાનુ ઘર ગુજરાત સામાન્ય નોકરી અને મજૂરી કરી ચલાવતા હોય તેવા પરિવારનું લાઈટ બિલ અચાનક 6000 આવતા પરિવારના લોકો ચોકી ઉઠ્યા હતા.
પરિવારના સભ્યોએ ડીજીવીસીએલ કચેરી ખાતે જઈને અધિકારીઓને રજુઆત કરી હતી જેના પગલે પરિવારને 680 રૂપિયા લાઈટ બિલ ભરવા માટે લખી આપવામાં આવ્યું હતું.ડીજીવીસીએલના અધિકારીએ જણાવ્યું હતું કે છેલ્લા પાંચ લાઈટ બિલથી મીટરમાં ફોલ્ટ હોવાને લીધે સરેરાશ બિલ જનરેટ થાય છે. તેથી આ વખતે પણ બધા બિલનો સરવાળો કરી રીડિંગ લેવામાં આવ્યુ હતુ જેના કારણે આ પ્રશ્ન ઉદ્દભવ્યો છે.