Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: દઢાલ ગામની નિર્મલ કોલોનીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું,રૂ. 4.75 લાખના માલમત્તાની ચોરી

તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડા 75 હજાર અને સોના ઘરેણાં મળી અંદાજિત 4.75 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા

X

અંકલેશ્વરના દઢાલ ગામના જીતાલી પાટિયા નજીક આવેલ નિર્મલ કોલોનીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી રોકડા 75 હજાર અને સોના ઘરેણાં મળી અંદાજિત 4.75 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા અંકલેશ્વરના દઢાલ ગામના જીતાલી પાટિયા પાસે આવેલ નિર્મલ કોલોનીમાં રહેતા દીપુભાઈ વસાવા દઢાલ ગામના પાટિયા પાસે નાસ્તાનો ગલ્લો ચલાવે છે જેઓ ગત રોજ નિર્મલ કોલોનીનું ઘર બંધ કરી નવા ઘરે સુવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને રોકડા 75 હજાર અને સોના ઘરેણાં મળી અંદાજિત 4.75 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા ચોરી અંગે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Next Story