અંકલેશ્વર : રેલ્વે ગોદી નજીક ટ્રાવેલર્સ પર થયેલા ફાયરિંગ મામલે જિલ્લા પોલીસની તલસ્પર્શી તપાસ

શહેરની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા સદાક્ત અહમદ ઉર્ફે મુસા સઇદ વાડીવાલા ઉપર ગત બુધવારે રાતે ઘર નજીક જ ફાયરિંગ થયું હતું.

New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં રેલ્વે ગોદી રોડ નજીક ગત બુધવારની મધરાતે પોતાના ઘરે જતા મોપેડસવાર ટ્રાવેલર્સ પર અજાણ્યા શખ્સોએ કરેલા ફાયરિંગના કારણે જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી હતી.

અંકલેશ્વર શહેરની ભાગ્યોદય સોસાયટીમાં રહેતા અને ટ્રાવેલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા સદાક્ત અહમદ ઉર્ફે મુસા સઇદ વાડીવાલા ઉપર ગત બુધવારે રાતે ઘર નજીક જ ફાયરિંગ થયું હતું.આ ઘટના બાદ આસપાસના લોકો ફાયરિંગના અવાજથી દોડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા. સદાક્ત અહમદને માથામાં કાનના ભાગે ગોળી વાગતા સરદાર પટેલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેમની હાલત હજી નાજુક હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. સમગ્ર મામલે અંકલેશ્વર પોલીસે FSL, ડોગ સ્ક્વોર્ડ અને બેલેસ્ટિક વિભાગની મદદથી હુમલાખોરો સુધી પોહચવા તપાસ હાથ ધરી હતી. આ દરમ્યાન શનિવારના રોજ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે સ્થળ મુલાકાત લઈ જરૂરી નિરીક્ષણ કરી તપાસમાં જોતરાયેલી પોલીસને જરૂરી સલાહ સૂચન આપ્યા હતા. જોકે, હાલ પોલીસ દ્વારા તલસ્પર્શી તપાસ ચાલી રહી હોવાથી હુમલાખોરો વહેલી તકે પોલીસની પકડમાં હશે, તેમ ભરૂચ એસપીએ જણાવ્યું હતું.

#Ankleshwar #District Police #Gun Fire #investigating #BeyondJustNews #Connect Gujarat #incidents
Here are a few more articles:
Read the Next Article