Connect Gujarat
ભરૂચ

અંકલેશ્વર: સંજાલી ગામમાં રસ્તા બાબતે થયેલ તકરારમાં મિત્રની હત્યા કરનાર હત્યારાની પોલીસે કરી ધરપકડ

૫૦ વર્ષીય રામઆસરે મુન્નીલાલ બિંદ અને ભોલાકુમાર જાગેશ્વર પ્રસાદ વચ્ચે વાતચીત દરમિયાન બોલાચાલી થતા ઝઘડો ઉગ્ર બન્યો હતો

X

અંકલેશ્વરના સંજાલી ગામના હોળી ચકલામાં રસ્તા મુદ્દે થયેલ માથાકૂટમાં આધેડને રહેસી નાખનાર હત્યારાને પાનોલી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો ગત તારીખ-૨જી મેના રોજ અંકલેશ્વરના સંજાલી ગામના હોળી ચકલામાં રહેતા ૫૦ વર્ષીય રામઆસરે મુન્નીલાલ બિંદ અને ભોલાકુમાર જાગેશ્વર પ્રસાદ વચ્ચે વાતચીત દરમિયાન બોલાચાલી થતા ઝઘડો ઉગ્ર બન્યો હતો આ ઝઘડામાં આવેશમાં આવી ગયેલા ભોલાકુમારે રામઆસરેના માથા અને મોઢાના ભાગે પથ્થર મારી ઈજા પહોંચાડતા તેઓને તાત્કાલિક સારવાર માટે ખરોડ વેલકેર હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

જ્યાં હાજર તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા બનાવ અંગે પાનોલી પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી તે દરમિયાન પાનોલી પોલીસે સંજાલી હોળી ચકલા સ્થિત રુદ્રાક્ષ રેસીડન્સીમાંથી હત્યારા ભોલાકુમાર જાગેશ્વર પ્રસાદને ઝડપી પાડ્યો હતો અત્રે ઉલ્લેખનીય છે કે રસ્તા બાબતે થયેલ તકરારમાં યુવાને આધેડને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું જાણવા મળ્યું છે.

Next Story