અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કાર્યકરો- પોલીસ વચ્ચે પકડદાવ

સાત દિવસમાં કોંગ્રેસનું સાતમુ વિરોધ પ્રદર્શન, શનિવારે કોંગ્રેસનું વિકાસ ખોજ અભિયાન.

New Update
અંકલેશ્વર : ત્રણ રસ્તા સર્કલ ખાતે કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન, કાર્યકરો- પોલીસ વચ્ચે પકડદાવ

ગુજરાતમાં વિધાનસભાની ચુંટણીની પુર્વ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ભાજપ સુશાસનની ઉજવણીના માધ્યમથી જયારે વિપક્ષ કોંગ્રેસ વિરોધ પ્રદર્શન થકી લોકોની વચ્ચે જવાનો પ્રયાસ કરી રહી છે. શનિવારના રોજ અંકલેશ્વરના ત્રણ રસ્તા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગી કાર્યકરો અને પોલીસ જવાનો વચ્ચે પકડદાવના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

ગુજરાત સરકારના સુશાસનની ઉજવણી સામે કોંગ્રેસ પણ સમાંતર કાર્યક્રમો આપી રહી છે. ભરૂચ જિલ્લામાં પણ સાત દિવસમાં વિવિધ સ્થળોએ વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવ્યાં છે. આજે શનિવારે અંકલેશ્વર શહેર તેમજ તાલુકા કોંગ્રેસ સમિતિના ઉપક્રમે ત્રણ રસ્તા સર્કલ ખાતે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણાની ઉપસ્થિતિમાં યોજાયેલાં કાર્યક્રમમાં આગેવાનો અને કાર્યકરો વિવિધ બેનર્સ સાથે જોડાયાં હતાં. વિરોધ પ્રદર્શન કરી રહેલાં કાર્યકરો અને પોલીસ વચ્ચે પકડદાવના દ્રશ્યો જોવા મળ્યાં હતાં.

વિકાસ કોનો ? વિકાસ ખોજો અભિયાન હેઠળ કોંગી કાર્યકરોએ સરકાર વિરોધી નારેબાજી કરી હતી. ભાજપ સરકારના રાજમાં ગણ્યા ગાંઠયા લોકોનો જ વિકાસ થયો હોવાનો આક્ષેપ આગેવાનોએ કર્યો હતો.