અંકલેશ્વર : પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિએ કરાયું વૃક્ષારોપણ
ભારતીય જનતા પાર્ટીના પુર્વ અધ્યક્ષ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિના અવસરે અંકલેશ્વરમાં આગેવાનો તથા કાર્યકરોએ શ્રધ્ધાંજલિ આપી હતી.
BY Connect Gujarat11 Feb 2022 12:21 PM GMT
X
Connect Gujarat11 Feb 2022 12:21 PM GMT
ભારતીય જનતા પાર્ટીના પુર્વ અધ્યક્ષ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિના અવસરે અંકલેશ્વરમાં આગેવાનો તથા કાર્યકરોએ શ્રધ્ધાંજલિ આપી હતી.
ભાજપના પુર્વ અધ્યક્ષ પંડિત દિનદયાલ ઉપાધ્યાયની પુણ્યતિથિ નિમિત્તે ભાજપના અંકલેશ્વર એકમ તરફથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં. અંકલેશ્વરના જવાહરબાગ ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું તેમજ પંડિત દીનદયાલ ઉપાધ્યાયની પ્રતિમાને પુષ્પાજલિ અર્પણ કરાય હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિનય વસાવા, નગરસેવકો મનીષા પટેલ, હીરલ પટેલ, પાલિકાના પુર્વ પ્રમુખ પુષ્પા મકવાણા સહિતના આગેવાનો અને કાર્યકરો હાજર રહયાં હતાં.
Next Story