અંકલેશ્વર:ખરોડ ગામના નાના બાળકોએ રમઝાન માસ દરમ્યાન 29 દિવસના રોઝા રાખી અલ્લાહની બંદગી ગુજારી
11 વર્ષીય મુહમમદ ઇબ્રાહિમ લહેરી તેમજ 7 વર્ષીય મુઆવીયા ઇબ્રાહિમ લહેરીએ 29 દિવસના રોઝા રાખ્યા
BY Connect Gujarat21 April 2023 8:37 AM GMT
X
Connect Gujarat21 April 2023 8:37 AM GMT
રમઝાન માસ દરમ્યાન મુસ્લિમ બિરાદરો રોઝા રાખી અલ્લાહની બંદગી ગુજરાતા હોય છે ત્યારે અંકલેશ્વર તાલુકાનાં ખરોડ ગામના બે નાના બાળકોએ પણ સમગ્ર રમઝાન માસ એટલે કે 29 દિવસના રોઝા રાખ્યા હતા. ખરોડ ગામમાં રહેતા અને સામાજિક આગેવાન ઇબ્રાહિમ લહેરીના 11 વર્ષીય પુત્ર મુહમમદ ઇબ્રાહિમ લહેરી તેમજ 7 વર્ષીય પુત્ર મુઆવીયા ઇબ્રાહિમ લહેરીએ 29 દિવસના રોઝા રાખ્યા હતા. રમઝાન માસ દરમ્યાન તેઓ શાળામાં પણ જતા હતા અને સાથે રોઝા રાખી અલ્લાહની બંદગી ગુજારી રહ્યા હતા
Next Story