ભરૂચ : દેરોલ અને અંકલેશ્વર નજીક સર્જાયેલા અકસ્માતમાં 2 લોકોએ ગુમાવ્યો જીવ...
ભરૂચ જીલ્લામાં અકસ્માતની 2 અલગ અલગ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યાં છે, ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હતી ધરી હતી.
BY Connect Gujarat7 Jan 2023 10:33 AM GMT
X
Connect Gujarat7 Jan 2023 10:33 AM GMT
ભરૂચ જીલ્લામાં અકસ્માતની 2 અલગ અલગ ઘટનામાં 2 લોકોના મોત નીપજ્યાં છે, ત્યારે પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હતી ધરી હતી.
ભરૂચ જીલ્લામાં અકસ્માતોની વણઝાર યથાવત જોવા મળી રહી છે. દિન પ્રતિદિન અકસ્માતોના બનાવ સામે આવી રહ્યા છે, ત્યારે ભરૂચ તાલુકાના દેરોલ ગામ નજીકથી પસાર થતાં બાઇક ચાલકને અકસ્માત નડ્યો હતો. અચાનક બાઇક સ્લીપ મારી જતાં અકસ્માતમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. બનાવના પગલે તાલુકા પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહના પોસ્ટમોર્ટમ સહિત આગળની કાર્યવાહી હાથ ધરી હતી. હાલ તો બન્ને અકસ્માતના પગલે પોલીસે અકસ્માતે 2 લોકોના મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હતી ધરી છે.
Next Story