ભરૂચ : કુંભારિયા ઢોળાવમાં મકાન ધરાશાયી થતાં એક જ પરીવારના 3 સભ્યોનું મોત

કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં મકાન થયું ધરાશાયી કાટમાળ નીચે દબાતા પરીવારના 3 સભ્યોનું મોત એક ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય

New Update
ભરૂચ : કુંભારિયા ઢોળાવમાં મકાન ધરાશાયી થતાં એક જ પરીવારના 3 સભ્યોનું મોત

ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવ નજીક મકાન ધરાશાયી થયું હતું, ત્યારે આ ઘટનામાં એક જ પરીવારના 3 સભ્યોના કાટમાળ નીચે દબાઈ જતાં મોત નિપજ્યું હતું.

બંબાખાના વિસ્તારના કુંભારિયા ઢોળાવ નજીક આવેલ હરિજન વાસના 903 નંબરના મકાનમાં વર્ષાબેન કિશોરભાઈ સોલંકી એક દીકરો અને ત્રણ દીકરી સાથે પોતાના પરિવાર સાથે રહે છે. પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ વર્ષાબેન હિંમત સાથે પોતાના પરિવારના ઘડતર માટે નગરપાલિકામાં હંગામી ધોરણે નોકરી કરી રહ્યા છે, ત્યારે આજરોજ પોતના નિત્યકર્મ અનુસાર, વર્ષાબેન નગરપાલિકામાં કામ અર્થે નીકળી ગયા હતા, ત્યારે બાળકો મકાનમાં ઉંઘતા હતા. તે દરમ્યાન અચાનક મકાનની છત ધરાશાયી થતા આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. સમગ્ર મામલે સ્થાનિકોએ નગરપાલિકાના ફાયર ફાઈટરોને જાણ કરી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ સ્થાનિકોની મદદથી કાટમાળ હટાવતાં નિશા સોલંકી, પ્રિન્સ સોલંકી, અંજના સોલંકી અને મોટી બહેન ગાયત્રી સોલંકી કાટમાળ નીચે દબાયેલ હાલતમાં મળી આવતા બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યાં નિશા સોલંકી, પ્રિન્સ સોલંકી અને અંજના સોલંકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી, જ્યારે ગાયત્રી સોલંકી ઇજાગ્રસ્ત હોવાના કારણે તેને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવના પગલે બી' ડિવિઝન પોલીસે અકસ્માતે 3 લોકોના મોત અંગે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Read the Next Article

ભરૂચ: દહેજની શિવા ફાર્મા કંપનીમાં રીએક્ટરમાં બ્લાસ્ટ, 2 કામદારોના મોત

ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા  જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો

New Update
  • ભરૂચના દહેજ સેઝ-1નો બનાવ

  • શિવા ફાર્મા કંપનીમાં બની દુર્ઘટના

  • રીએક્ટરમાં મોડી રાત્રે બ્લાસ્ટ

  • 2 કામદારોના નિપજ્યા મોત

  • 1 કામદાર ઇજાગ્રસ્ત

ભરૂચના દહેજ સેઝ - 1માં આવેલી શિવા ફાર્મા કેમમાં શનિવારે મધરાતે રીએક્ટર બ્લાસ્ટ થતા બે કામદારના મોત નિપજ્યા હતા  જ્યારે એક કામદાર ગંભીર રીતે ઘાયલ થતા સારવાર અર્થે ખસેડાયો હતો
ઔધોગિક ભરૂચ જિલ્લાની દહેજ સેઝ 1 માં 2014થી શિવા ફાર્મા કેમ કાર્યરત છે. વડોદરા હેડ ક્વાર્ટર ધરાવતી અને 22 દેશોમાં નિકાસ કરતી કંપની એસીડ, આલ્કલાઈ ક્લોરાઇડનું દેહજમાં પ્રોડક્શન કરે છે. જે USA અને યુરોપમાં સ્ટોરેજ તેમજ વિતરણનું માળખું પણ ધરાવે છે. શનિવારે મધરાતે 2.40 કલાકે શિવા ફાર્મા કેમના દહેજ યુનિટમાં એસીડ ક્લોરાઇડ પ્લાન્ટમાં ઉત્પાદનની પ્રક્રિયા ચાલી રહી હતી. રીએક્ટરની કોલમમાં ઓવર પ્રેશર થતા બ્લાસ્ટ થયો હતો. એસીડ અને ગેસ ઉચ્ચ દબાણ સાથે રીએક્ટર ફાટતા બહાર નીકળતા નાઈટ શીપમાં કામ કરતા 3 કામદારો ગંભીર રીતે ઘવાયા હતા.
કંપનીમાં ઔધોગિક દુર્ઘટનાને લઈ અન્ય કામદારો અને સંચાલકોમાં પણ દોડધામ મચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ત્રણ કર્મચારીઓ મનાડ ગામના અર્જુન પરબતભાઈ પટેલ, પાલડી ગામના પ્રવીણ મનસુખભાઇ પરમાર અને ત્રાંકલ ગામના શૈલેન્દ્રસિંહ યાદવને વધુ સારવાર અર્થે વડોદરા લઈ જવાયા હતા. જ્યાં અર્જુન પટેલ અને પ્રવીણ પરમારનું મૃત્યુ થયું હતું.ઘટનાની જાણ થતાં દહેજ પોલીસ અને ઇન્ડટ્રીયલ એન્ડ સેફટી હેલ્થ વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી.કંપની સામે ફેકટરી એક્ટ હેઠળ કાર્યવાહી શરૂ કરાઇ છે. તપાસના અંતે કંપનીને પ્રોહીબિટરી નોટિસ પણ ફટકારાશે.