Connect Gujarat
ભરૂચ

ભરૂચ : કુંભારિયા ઢોળાવમાં મકાન ધરાશાયી થતાં એક જ પરીવારના 3 સભ્યોનું મોત

કુંભારિયા ઢોળાવ વિસ્તારમાં મકાન થયું ધરાશાયી કાટમાળ નીચે દબાતા પરીવારના 3 સભ્યોનું મોત એક ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાય

X

ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં આવેલા કુંભારિયા ઢોળાવ નજીક મકાન ધરાશાયી થયું હતું, ત્યારે આ ઘટનામાં એક જ પરીવારના 3 સભ્યોના કાટમાળ નીચે દબાઈ જતાં મોત નિપજ્યું હતું.

બંબાખાના વિસ્તારના કુંભારિયા ઢોળાવ નજીક આવેલ હરિજન વાસના 903 નંબરના મકાનમાં વર્ષાબેન કિશોરભાઈ સોલંકી એક દીકરો અને ત્રણ દીકરી સાથે પોતાના પરિવાર સાથે રહે છે. પતિની છત્રછાયા ગુમાવ્યા બાદ પણ વર્ષાબેન હિંમત સાથે પોતાના પરિવારના ઘડતર માટે નગરપાલિકામાં હંગામી ધોરણે નોકરી કરી રહ્યા છે, ત્યારે આજરોજ પોતના નિત્યકર્મ અનુસાર, વર્ષાબેન નગરપાલિકામાં કામ અર્થે નીકળી ગયા હતા, ત્યારે બાળકો મકાનમાં ઉંઘતા હતા. તે દરમ્યાન અચાનક મકાનની છત ધરાશાયી થતા આસપાસના લોકોમાં ભારે અફરાતફરી મચી હતી. સમગ્ર મામલે સ્થાનિકોએ નગરપાલિકાના ફાયર ફાઈટરોને જાણ કરી હતી. બનાવના પગલે ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ફાયર ફાઇટરોએ સ્થાનિકોની મદદથી કાટમાળ હટાવતાં નિશા સોલંકી, પ્રિન્સ સોલંકી, અંજના સોલંકી અને મોટી બહેન ગાયત્રી સોલંકી કાટમાળ નીચે દબાયેલ હાલતમાં મળી આવતા બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યાં નિશા સોલંકી, પ્રિન્સ સોલંકી અને અંજના સોલંકીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું બહાર આવતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી હતી, જ્યારે ગાયત્રી સોલંકી ઇજાગ્રસ્ત હોવાના કારણે તેને સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. બનાવના પગલે બી' ડિવિઝન પોલીસે અકસ્માતે 3 લોકોના મોત અંગે ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story