ભરૂચ: વોર્ડ નંબર 1માં નિર્માણ પામેલ બગીચાનું લોકાર્પણ કરાયું

ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 1માં અમૃતમીશન અંતર્ગત 35 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામેલ બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: વોર્ડ નંબર 1માં નિર્માણ પામેલ બગીચાનું લોકાર્પણ કરાયું

.ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 1માં અમૃતમીશન અંતર્ગત 35 લાખથી વધુના ખર્ચે નિર્માણ પામેલ બગીચાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું

ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 1માં અમૃત ગાર્ડનનું લોકાર્પણ રાજ્યના નાયબ મુખ્ય દડક દુષ્યંત પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. અમૃત મિશન અંતર્ગત 35થી વધુના ખર્ચે મુન્શી મેમોરિયલ ટ્રસ્ટ ,માટલીવાળા ટ્રસ્ટ તથા અન્ય દાતાઓના સહયોગથી બગીચાનું નિર્માણ કરવામાં આવ્યું છે. લોકાર્પણ પ્રસંગે ભરૂચના નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા ,કારોબારી અધ્યક્ષ નરેશ સુથાર વાલા,પૂર્વ પ્રમુખ સુરભી તંબાકુવાલા, નાગર સેવક સલીમ અમદાવાદી, સમસાદ અલી સૈયદ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Read the Next Article

અંકલેશ્વર: ખરોડ ગામે યુવાનની હત્યા કરનાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે કરી ધરપકડ, અગાઉ થયેલ માથાકૂટની રીસ રાખી હત્યા કરાય

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

New Update

અંકલેશ્વરના ખરોડમાં મળી આવ્યો હતો મૃતદેહ

હત્યા થઈ હોવાનું આવ્યું બહાર

પોલીસે હત્યારાની કરી ધરપડક

અગાઉના ઝઘડાની રીસ રાખી કરાય હત્યા

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી


અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામેથી મળી આવેલ મૃતદેહના મામલામાં ચોકાવનારો ખુલાસો થયો છે પોલીસે યુવાનની હત્યા કરનાર આરોપીની ધરપકડ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામાં ખેતરના શેઢા ઉપર અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ વિકૃત હાલતમાં મળી આવ્યો હતો.આ બાબતે પાનોલી પોલીસે ગુનો નોંધી મૃત્યુનું કારણ જાણવા તપાસ શરૂ કરી હતી.આ તરફ ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાય હતી દરમ્યામ પોલીસને બાતમી મળી હતી કે આ ગુનામાં  અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.પોલીસે હ્યુમન ઇન્ટેલીજન્સના આધારે આરોપીની ખરોડ નજીકથી ધરપકડ કરી હતી. પોલીસની પૂછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મામલામાં મરણ જનાર ઇસમે થોડા દિવસ અગાઉ મારમારી 1500 રૂપિયા લૂંટી લીધા હતા જેની રીસ રાખી આરોપી શંકર વસાવાએ મૃતકને શોધી તેને મજૂરી કામ અપાવવાના બહાને ખરોડ ગામની સીમમાં લઈ ગયો હતો અને ત્યાં પથ્થરના ઘા મારી હત્યા કર્યા બાદ તેના વતન ફરાર થઇ ગયો હતો.પોલીસે આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.