Connect Gujarat
ભરૂચ

ભરૂચ: નર્મદા પાર્ક ખાતે પાવન સલીલા માં નર્મદાજીની ભવ્ય આરતીનું આયોજન કરાશે

આરતી કેવડિયા સ્થિત ગોરાઘાટ ખાતે પાવન સલીલા માં નર્મદાજીની આરતીનો હાલમાં જ પ્રારંભ કરવામાં આવ્યો છે.

ભરૂચ: નર્મદા પાર્ક ખાતે પાવન સલીલા માં નર્મદાજીની ભવ્ય આરતીનું આયોજન કરાશે
X

કાશી તેમજ હરિદ્વાર ખાતે ગંગાઘાટ પર ગંગાજીની ભવ્ય આરતી કરવામાં આવે છે ત્યારે તેવી જ આરતી કેવડિયા સ્થિત ગોરાઘાટ ખાતે પાવન સલીલા માં નર્મદાજીની આરતીનો હાલમાં જ પ્રારંભ કરવામાં આવ્યો છે.ત્યારે ભરૂચમાં પણ નર્મદા પાર્ક ખાતે ઘાટ પર માં નર્મદાજીની દર મહિનાના એક દિવસ પસંદ કરી ભવ્ય આરતીનું આયોજન કરવામાં આવશે.

ભરૂચ ના નર્મદા સંસ્કૃત પાઠશાળા ખાતે આગામી દર માસનો એક દિવસ પસંદ કરી પાવન સલીલા માં નર્મદાજીની નિરંતર આરતી કરવાનું ભવ્ય આયોજન કરવાંને લઇ વિવિધ સામાજિક સંગઠનોના આગેવાનોની નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે બેઠક મળી હતી.જેમાં નર્મદા સંસ્કૃત પાઠશાળાના ટ્રસ્ટી દિનેશ પંડયા, અશોક પંડયા, વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણી અજય વ્યાસ, આચાર્ય હરીશ ભટ્ટ સહિત સામાજિક સંગઠનના આગેવાન હાજર રહ્યા હતા.

Next Story