ભરૂચ: સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રના વિવાદ મામલે આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર

હનુમાનજીની પ્રતિમા નીચે કેટલાક ભાગમા ભીતચિત્રો દ્વારા હનુમાનજીને નીલકંઠવર્ણીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા છે.

New Update
ભરૂચ: સાળંગપુર હનુમાનજી મંદિરમાં ભીંતચિત્રના વિવાદ મામલે આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને પાઠવાયુ આવેદનપત્ર

ભરૂચમાં આદિવાસી સમાજ દ્વારા સાળંગપુર હનુમાનજી મંદિરમાં સનાતન ધર્મના ઇતિહાસ સાથે છેડછાડ કરવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતું બોટાડ જીલ્લાના સાળંગપુર ખાતે સનાતન ધર્મના આસ્થાના કેન્દ્ર સ્વરૂપ શ્રી કષ્ટભંજન હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે.આ મંદિરનું સંચાલન સ્વામીનારાયણ સંપ્રદાય સન ૧૯૦૭ થી કરે છે,પરંતુ થોડા દિવસ પહેલા મંદિર પરિસરમાં હનુમાનજીની પ્રતિમા નીચે કેટલાક ભાગમા ભીતચિત્રો દ્વારા હનુમાનજીને નીલકંઠવર્ણીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા છે.

આ ભીતચિત્રો દ્વારા સનાતન ધર્મ જ નહીં પરંતુ હનુમાનજીનું પણ અપમાન કરવામાં આવી રહ્યું છે. તે પ્રથમ દ્રષ્ટિએ દેખાય રહ્યું છે.સ્વામીનારાયણ સંપ્રદાય દ્વારા ઈરાદા પૂર્વક સનાતન ધર્મના ઇતિહાસ સાથે જે છેડછાડ કરવામાં આવી રહી છે. તેનાથી સમગ્ર સનાતન ધર્મમાં માનનારા લોકોની ધાર્મિક આસ્થા અને લાગણી દુભાય રહ્યા હોવાના આક્ષેપ સાથે ભરૂચ જીલ્લા આદિવાસી સમાજ આ ઘટનાને સખત શબ્દો માં વખોડયુ હતું અને આ બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

Read the Next Article

ભરૂચ: ઝઘડિયાના સારસા ગામમાં તંત્રએ ન કર્યું તે બાળકોએ કરી બતાવ્યું, રસ્તાના ખાડા જાતે પૂર્યા

ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 

New Update
  • ભરૂચના ઝગઘડિયાના સારસાનો બનાવ 

  • બાળકોએ કર્યું સરાહનીય કાર્ય

  • રસ્તા પરના ખાડા જાતે પૂર્યા

  • વાહનચાલકોને મળી રાહત

  • બાળકોની કામગીરી લોકોએ આવકારી

ભરૂચના ઝઘડિયા તાલુકાના અંતરિયાળ ગામ સારસામાં એક સરાહનીય ઘટના જોવા મળી છે જ્યાં ગામના નાના બાળકોએ રસ્તાના મસમોટા ખાડા પુરી વાહનચાલકોની સમસ્યા હળવી બનાવવાનો પ્રયાસ કર્યો હતો. 
ભરૂચના ઝઘડિયા સારસા ગામ તરફ જતાં મુખ્ય રસ્તા પર ચોમાસાની શરૂઆતથી મસમોટા ખાડા પડેલા હતા.અહીંથી પસાર થતાં વાહનો માટે સતત અકસ્માતનો ભય રહેતો હતો. આ સમસ્યા સામેતંત્રે ધ્યાન ન આપ્યું તો મોટાઓએ માત્ર ટીકાઓ કરી પણ ગામના નાનાં બાળકો આગળ આવ્યા હતા.  શાળા જઈ રહેલા બાળકોના અકસ્માત અટકે એ માટે તેમણે રસ્તાના ખાડા પોતે પૂર્યા હતા. રસ્તાની સફાઈ કરીને માટી અને પથ્થર નાંખી તેમણે ખાડા સમતળ કર્યા હતા. આ પ્રકારની કામગીરી દેશના ભવિષ્યના નાગરિકોની સમજદારી દર્શાવે છે પણ તંત્ર માટે સવાલ ઊભો કરે છે કે જે કામ બાળકો કરી શકે છે તે મોટું તંત્ર કેમ નહીં?