/connect-gujarat/media/post_banners/e6c7a1d310a28e59c35b3c4afc8b8a218cb1f99c89db2a02c765e8d9faee3284.jpg)
ભરૂચ શહેરની સેવાભાવી સંસ્થા સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનની જનજાગૃતિ અર્થે હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ શહેર તથા જિલ્લામાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા વિવિધ સેવાકાર્ય કરવામાં આવતા હોય છે. જેમાં સૌથી મહત્વની સેવા એવી અંગદાનની શરૂઆત સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. જેમાં લોકો દ્વારા અંગદાન કરી ઘણા લોકોનું જીવન બચાવવાનું ઉત્તમ કાર્ય સંકલ્પ ફાઉન્ડેશન થકી કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે સમાજમાં રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાન પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે પતંગ ઉત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં કોલેજ અને શાળાના વિદ્યાર્થીઓએ પતંગ ઉત્સવમાં ભાગ લીધો હતો. રક્તદાન, નેત્રદાન, દેહદાન અને અંગદાનના સૂત્રો સાથેની પતંગ ઉડાવી જનજાગૃતિ લાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટી, જે.પી.પટેલ સહિતના સભ્યો તેમજ મોટી સંખ્યામાં પતંગ રસિકો ઉપસ્થિત રહ્યા હતા.