ભરૂચ: નગર સેવા સદનનું વીજ કનેક્શન કપાતા કોંગ્રેસનું અનોખુ વિરોધ પ્રદર્શન,ખાલી તિજોરી સાથે વિરોધ નોંધાવ્યો

ભરૂચ નગર સેવા સદન દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું બિલ ન ભરવામાં આવતા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું

New Update
ભરૂચ: નગર સેવા સદનનું વીજ કનેક્શન કપાતા કોંગ્રેસનું અનોખુ વિરોધ પ્રદર્શન,ખાલી તિજોરી સાથે વિરોધ નોંધાવ્યો

ભરૂચ નગર સેવા સદન દ્વારા દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું બિલ ન ભરવામાં આવતા વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસ દ્વારા આ બાબતે અનોખી રીતે વિરોધ પ્રદદર્શન યોજાયું હતું.

ભરૂચ નગરપાલિકાએ વીજબિલના નાણા ભરવામાં નાદારી જાહેર કરી હોવાની ચોંકાવનારી વિગતો સપાટી પર આવી છે. અગાઉના 6 કરોડ તથા વાર્ષિક 4 કરોડ મળી 10 કરોડ ઉપરાંતનું બિલ ભરવા માટે લોન આપવા સરકારમાં દરખાસ્ત કરી છે. બીજી તરફ વોટર વર્કસ વિભાગના 6થી વધુ કરોડ ઉપરાંતના બિલની વસુલાત માટે વીજકંપનીએ સ્ટ્રીટલાઇટના જોડાણો કાપી નાખતાં શહેરમાં અંધારપટ છવાઇ ગયો છે. ત્યારે આજરોજ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.કોંગ્રેસ દ્વારા ખાલી તિજોરી નગર સેવા સદનના પટાંગણમાં મૂકી અનોખી રીતે વિરોધ દર્શાવવામાં આવ્યો હતો

Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.