ભરૂચ: ઝઘડિયાના રતનપુર ગામે યુવાન પર છરી વડે જીવલેણ હુમલો,પોલીસે શરૂ કરી તપાસ

ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે રહેતા અને મજૂરી કામ કરતા આસિફ હૈદરભાઈ મલેક ગતરોજ સાંજે બાવાગોર દરગાહ પરથી તેમના ઘરે આવ્યા હતા

New Update
ભરૂચ: ઝઘડિયાના રતનપુર ગામે યુવાન પર છરી વડે જીવલેણ હુમલો,પોલીસે શરૂ કરી તપાસ

ભરૂચના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામે રહેતા અને મજૂરી કામ કરતા આસિફ હૈદરભાઈ મલેક ગતરોજ સાંજે બાવાગોર દરગાહ પરથી તેમના ઘરે આવ્યા હતા, ઘરે તેમની બહેને તેમને જણાવેલ કે અસલમ કાલુ સીદી નાઓ મને કાંઈક કહી મારી સાથે વાત કરવા કરતો હતો તેમ જણાવ્યું હતું, જેથી આસિફ મલેકે અસલમ કાલુ સીદી તેના ઘરની સામે જ રહેતો હોય તેના ઘરે જઈને જણાવેલ કે તું મારી બેન ને શું કહેતો હતો ? તેમ પૂછતા અસલમ કાલુ સીદી એકદમ ઉશ્કેરાઇ જઇ આસિફને એવું કહ્યું હતું કે તું અહીંયાથી જતો રહે નહીં તો હું તને મારીશ, તેમ કહેતા આશિફ તેના ઘરે જતો રહ્યો હતો. બે કલાક બાદ ફરી આસિફ તેના ઘરની બહાર આંગણામાં ઉભો હતો તે વખતે અસલમ કાલુ સીદી તથા અક્રરમ અને તેના સાથેનો બીજો એક માણસ આસિફ પાસે આવેલા અને તે સમયે અસલમે તેના હાથમાંના ચપ્પુ વડે અચાનક આસિફ પર હુમલો કરી તેના બરડાના ભાગે ચપ્પુ મારી દીધેલ હતું.આ મામલામાં ઇજાગ્રસ્તને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.બનાવ અંગે રાજપારડી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે 

Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.