/connect-gujarat/media/post_banners/dd6527752dba7f006d56e2abd51a739f4d99817c1560d9964ea817e90e9411ff.jpg)
ભરૂચ જીલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા પંજાબમાં મળેલ ભવ્ય વિજય બાદ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું...
આજરોજ ભરૂચ આમ આદમી પાર્ટી દ્વારા શ્રવણ ચોકડીથી સોનેરી મહેલ સુધી ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.પંજાબના વિજય બાદ આમ આદમી પાર્ટીનો જુસ્સો બુલંદી પર છે. આગામી ગુજરાત વિધાનસભાની ચુંટણીને ધ્યાન લઈ આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતભરમાં વિવિધ સ્થળે તિરંગા યાત્રાના આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત ભરૂચમાં પણ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.જેમાં ભરૂચ જિલ્લા આપ પ્રમુખ જયેન્દ્રસિંહ રાજ સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરો હાથમા તિરંગા સાથે બાઈક તેમજ અન્ય વાહનો પર સવાર થઇ જોડાયાં હતા અનવ ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.