ભરૂચ : ડેડીયાપાડા AAPના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ખોટો કેસ થયો હોવાના આક્ષેપ સાથે AAPનું તંત્રને આવેદન...

ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાયેલ પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેક્ટર કચેરી ખાતે ખોટો કેસ હોવાના આક્ષેપ તેમજ ન્યાયિક તપાસની માંગ સાથે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

New Update
ભરૂચ : ડેડીયાપાડા AAPના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ખોટો કેસ થયો હોવાના આક્ષેપ સાથે AAPનું તંત્રને આવેદન...

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ નોંધાયેલ પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ કલેક્ટર કચેરી ખાતે ખોટો કેસ હોવાના આક્ષેપ તેમજ ન્યાયિક તપાસની માંગ સાથે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધની પોલીસ ફરિયાદના વિરોધમાં ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીએ મુખ્યમંત્રીને સંબોધેલ આવેદન પત્ર ભરૂચ જિલ્લા કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં જણાવાયું છે કે, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે પોલીસ સ્ટેશનમાં જંગલ વિભાગના કર્મચારીઓ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ આખી ઘટના એવી છે કે, જંગલ વિભાગે જેમને જમીન માલિકીની સનદ ફોરેસ્ટ રાઇટ્સ એક્ટ અંતર્ગત આપી છે. એવા ખેડૂતોની જમીનમાં ઉભા કપાસના પાકને જંગલ વિભાગના કર્મચારીઓએ કાપી નાખ્યો હતો. વિસ્તારના લોકપ્રતિનિધિ તરીકે આ બાબતની રજૂઆત ધારાસભ્ય ચૈતર વસાવા પાસે આવી હતી. જેમાં તેઓએ વનવિભાગના કર્મચારીઓ અને ખેડૂતોને સાથે બેસાડી સમાધાન કરાવી નક્કી થયા મુજબની નુકસાની ખેડૂતને ચૂકવવામાં આવી હતી. જે સમગ્ર મામલે કોઈકના દબાણમાં આવી આ મુદ્દે ખોટી રીતે ફરિયાદ કરવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. જેથી આ મુદ્દે દરમ્યાનગીરી કરી ન્યાયિક તપાસ અને ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડ અટકાવવા અંગે ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં ભરૂચ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ : પીઢ કવિ સ્વ. પ્રભુદત્ત ભટ્ટને "બુધ કવિ સભા" અંતર્ગત શબ્દાંજલિ સહ શ્રદ્ધાંજલિ અર્પણ કરાય...

"બુધ કવિ સભા"માં હાજર દિગ્ગજ અને નવોદિત કવિઓ અને કવયિત્રીઓ દ્વારા આ સાહિત્ય જગતના વડલા સમાન સ્વ. પ્રભુદત્ત ભટ્ટ સાહેબ પ્રત્યેની આગવી સંવેદનાઓ અને શબ્દાંજલિ પાઠવી હતી.

New Update
gja;;

ભૃગુકચ્છ પ્રદેશના સાહિત્ય જગતના સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને ભરૂચમાં ચાલતી અગ્રેસર સાહિત્યિક સંસ્થાઓ જેવી કેબુધ કવિ-સભાશબ્દ સાંનિધ્ય અને ભરૂચ જિલ્લા સાહિત્ય વર્તુળ જેવી સંસ્થાઓ માટે સ્થાપકપ્રેરણાસ્ત્રોત અને માર્ગદર્શક તરીકે જોડાયેલા પીઢ કવિસાહિત્યકાર સ્વ. પ્રભુદત્ત ભટ્ટના આકસ્મિક અવસાન બાદ છવાયેલી ગમગીનીને અનુસરીને ગત તા. 2જી જુલાઈ 2025ને બુધવારના રોજ "બુધ કવિ-સભા" અંતર્ગત તેઓને શબ્દાંજલિ આપવા એક'શ્રદ્ધાસુમનકાર્યક્રમનું આયોજન શ્રવણ વિદ્યાધામ ખાતે થયું હતું.

"બુધ કવિ સભા"માં હાજર દિગ્ગજ અને નવોદિત કવિઓ અને કવયિત્રીઓ દ્વારા આ સાહિત્ય જગતના વડલા સમાન સ્વ. પ્રભુદત્ત ભટ્ટ સાહેબ પ્રત્યેની આગવી સંવેદનાઓ અને શબ્દાંજલિ પાઠવી હતી. સદર બુધ કવિ-સભાએ'શ્રદ્ધાસુમનઉપક્રમમાં હાજર રહેલ સૌ શિક્ષણ જગતના અગ્રણીઓરાજ્યના તેમજ ભરૂચ જિલ્લાના પ્રથમ હરોળના કવિઓ અને કવયિત્રીઓએ કરેલ સ્વ. પ્રભુદત્ત ભટ્ટના કાવ્ય સંગ્રહોમાંથી ચુનંદા કાવ્યોનું કાવ્યપઠન અને સ્વરચિત રચનાઓ થકી પાઠવેલ ભાવપૂર્ણ શબ્દાંજલિ અર્પણ કરી કવિકર્મનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

વ્યથા ના કદી મ્હોં જુબાની રહી છે,

તમારી કથામાં ખુમારી રહી છે.

ભલે હોય નાનાં છતાં માન આપો,

તમારી ગજબ‌ ખાનદાની રહી છે.

તમે વ્હાલ આપોસદા ખ્યાલ રાખો,

મહોબત તમારી નિશાની રહી છે.

તમે શ્વાસ લીધાં કવિતા સ્વરૂપે,

તમારી અલગ જિંદગાની રહી છે.

તમારા સ્મરણમાં નયન મારા ભીનાં,

ને ભીની ને ભીની કહાની રહી છે.

'અભિગમ'

આ સભામાં ઉંમર અથવા પ્રતિકૂળ સંજોગોને કારણે હાજર ન રહી શકનાર સર્વે મહાનુભાવોના ભાવ સંદેશાઓ વાંચનમાં લઈ સવિશેષ નોંધ લીધી હતી. શ્રવણ વિદ્યાધામ તરફથી સતત ગુજરાતી ભાષાની વિવિધ સાહિત્યિક પ્રવૃત્તિઓ માટે પીઠબળ પૂરું પાડવામાં અગ્રેસર હોવાને કારણે અભિભૂત "બુધ કવિ-સભા"ના સભ્યો દ્વારા વ્યક્ત કૃતજ્ઞતાભાવ નોંધાવે છે. સ્વ. પ્રભુદત્ત ભટ્ટના મૃત્યુ પર્યંતની આ સમગ્ર'શ્રદ્ધાસુમનબેઠકનું સુંદર સંચાલન કરતાં જે.સી.વ્યાસ ભાવવિભોર થયા હતાજ્યારે જતીન પરમારે સૌનો આભાર વ્યક્ત કરી હાજર રહેલ દિવંગતના કુટુંબીજનોની વિશેષ હાજરી વચ્ચે સ્વ. પ્રભુદત્ત ભટ્ટના આત્માને દિવ્ય પરમ શાંતિ પાઠવી અંતરપ્રાર્થી બન્યા હતા.

Latest Stories