ભરૂચ : સંવિધાનિક હક્ક આપવા ન પડે તે માટે AAP કરી રહી છે ટ્રાઈબલ એકતાને તોડવાનું કામ : છોટુ વસાવા

ભરૂચના ઝઘડીયા બેઠકના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સુપ્રીમો છોટુ વસાવાએ ભાજપ અને AAP પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા

New Update
ભરૂચ : સંવિધાનિક હક્ક આપવા ન પડે તે માટે AAP કરી રહી છે ટ્રાઈબલ એકતાને તોડવાનું કામ : છોટુ વસાવા

ભરૂચ જિલ્લાના ઝઘડીયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સુપ્રીમો છોટુ વસાવાએ ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી પર આક્ષેપ સાથે મોટું નિવેદન આપી શાબ્દિક પ્રહારો કર્યા હતા.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જેમ નજીક આવી રહી છે, તેમ રાજકીય માહોલ પણ ગરમાય રહ્યો છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ રાજ્યના વિવિધ વિસ્તારોમાં સભાઓ ગજવી રહ્યા છે, ત્યારે ભરૂચના ઝઘડીયા બેઠકના ધારાસભ્ય અને ભારતીય ટ્રાઇબલ પાર્ટીના સુપ્રીમો છોટુ વસાવાએ ભાજપ અને AAP પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીને લઈને છોટુ વસાવાએ મોટું નિવેદન આપ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, દેશમાં ચૂંટણી તો આવતી રહેશે અને જતી પણ રહેશે. આદિવાસીઓને સંવિધાનિક હક્ક આપવા ન પડે તે માટે આમ આદમી પાર્ટી ટ્રાઈબલ એકતાને તોડવાનું કામ કરી રહી છે. આ સાથે જ છોટુ વસાવાએ ભારતીય જનતા પાર્ટી પર શાબ્દિક પ્રહારો કર્યા હતા.

Read the Next Article

અંકલેશ્વર : મહારાષ્ટ્રમાં થયેલ કેબલ ચોરીના મામલામાં 4 આરોપીની નોબેલ માર્કેટમાંથી ધરપકડ,ક્રાઇમ બ્રાન્ચે રૂ.5.30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી

New Update
gujarat
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે  મહારાષ્ટ્રમાં આવેલ ખોપોલી પો.સ્ટે. વિસ્તારમાં કેબલ ચોરી થઇ હતી જેમાં જુબેર તથા આલમ મનીયાર તથા દિપક કપિલદેવ તિવારી તથા રામવિલાસ ચીકનું યાદવ સંડોવાયેલ છે જે પૈકી આલમ તથા દિપક તિવારી તથા રામ વિલાસ યાદવ અંક્લેશ્વર ખાતે આવેલ નોબલ માર્કેટમાં ગુનામા વપરાયેલ સાધનો સાથે ગોવિંદ અવધરામ યાદવને ત્યા ગોડાઉન પર રોકાયા છે જે બાતમીના આધારે નોબેલ માર્કેટમાં ગોવિંદ યાદવના ગોડાઉનના પર જઇ તપાસ કરતા ગોડાઉન પર ચાર ઇસમ એમ.એચ. પાસીંગની એક બાઇક તથા બોલેરો પીક અપ સાથે ઝડપાય ગયા હતા.આરોપીઓ પોલીસથી બચવા અંકલેશ્વર આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.પોલીસે આરોપીઓ પાસેથી કુલ રૂ.5.30 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
ઝડપાયેલ આરોપીઓ
(1)મોહંમદ આલમ મોહંમદ યુસુફ મનીયાર ઉ.વ.૩૪ હાલ રહે, પુનોલે ગાયકવાડનગર પુના જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે, દલમઉ થાના-દલમઉ તા.જી. રાયબરેલી (ઉત્તરપ્રદેશ)
(૨) દિપક કપિલદેવ તિવારી ઉ.વ.રર હાલ રહે, ચીખલી કુંતલવાડી રામવિલાસની ભંગારની દુકાન પર તા. નહેરૂનગર જી.પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. મનકાપુર તા. તુલસીપુર દેવીપાટણ જી. બલરામપુર (ઉત્તરપ્રદેશ)
(૩) રામવિલાસ ચીકનું યાદવ ઉ.વ. ૩૨ રહે, પુનોલે ગાયકવાડનગર જી-પુના (મહારાષ્ટ્ર) મુળ રહે. ત્રિલોકપુર તા-ઇટવા જી- સિધ્ધાર્થનગર (ઉત્તરપ્રદેશ)
(૪) ગોવિંદ અવધરામ યાદવ ઉ.વ.૪૮ હાલ રહે, પ્લોટ નં.૭૧ ન્યુ ઈન્ડીયા નોબલ માર્કેટ ભડકોદ્રા તા. અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. રામાપુર ઉર્ફે બિસુનપુર તા. ઈટવા જી. સિધાર્થનગર (ઉત્તરપ્રદેશ)