Connect Gujarat
ભરૂચ

ભરૂચ : સગીરા સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં આરોપી ઝબ્બે, 200 લોકોની પુછપરછ બાદ ઉકેલાયો ભેદ

ભરૂચ જિલ્લાના એક ગામમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કર્યા બાદ બે મહિનાથી પોલીસને ચકમો આપી રહેલો આરોપી આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે.

X

ભરૂચ જિલ્લાના એક ગામમાં રહેતી સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કર્યા બાદ બે મહિનાથી પોલીસને ચકમો આપી રહેલો આરોપી આખરે પોલીસ સકંજામાં આવી ગયો છે.

આમોદ તાલુકાના એક ગામમાં રહેતી એક સગીરા ગત તારીખ 8મી નવેમ્બરના રોજ લાકડા વીણવા માટે ગઇ હતી. બપોરના સમયે તે લાકડાનો એક ભારો લાવી તેના ઘરે નાંખી બીજો ભારો લેવા ગઇ હતી. લાંબો સમય વીતી જવા છતાં સગીરા ઘરે પાછી નહિ ફરતા તેનો પરિવાર તેને શોધવા માટે નીકળ્યો હતો દરમિયાન એક ખેતરમાંથી સગીરાનો અર્ધનગ્ન હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. સગીરા સાથે દુષ્કર્મ કર્યા બાદ તેની હત્યા કરી નાંખવામાં આવી હતી. ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસની વિવિધ ટીમો આરોપીને ઝડપી પાડવા માટે કામે લાગી હતી. પોલીસે હયુમન ઇન્ટેલિજન્સની મદદથી 1 હજાર કરતાં વધારે મોબાઇલ ધારકોની તપાસ કરી હતી તેમજ 200થી વધારે લોકોની પુછપરછ કરી હતી. જેમાં પોલીસને ગામમાં જ આવેલી મજુર કોલોનીમાં રહેતાં 24 વર્ષીય વસંત પુજા રાઠોડની સંડોવણી હોવાની માહિતી મળી હતી. પોલીસે આરોપી વસંતને ઝડપી પાડી પુછપરછ કરતાં તેણે ગુનાની કબુલાત કરી હતી.

આરોપી વસંતે પોલીસની પુછપરછમાં જણાવ્યું હતું કે, તે ગામમાં આવેલી એક દુકાન પર ગુટખા ખાવા માટે જતો હતો ત્યાંથી તેની નજર મૃતક સગીરા પર બગડી હતી. એક દિવસ મોકો જોઇ તેણે સગીરાને મોઢુ દબાવી જમીન પર પાડી દઇ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. દુષ્કર્મ બાદ તેનું ગળુ દબાવી હત્યા કરી નાંખી હતી. હત્યા બાદ વસંતે જ ગામના અન્ય લોકોની સાથે સગીરાના મૃતદેહને ઘર સુધી લાવવામાં મદદ કરી હોવાનું બહાર આવ્યું છે. આરોપીએ પોલીસને ગુમરાહ કરવાના અનેક પ્રયાસો કર્યા પણ તે બચી શકયો ન હતો અને હવે જેલના સળિયા ગણતો થઇ ગયો છે.

Next Story