ભરૂચ : આમોદમાં PM મોદીના સભા સ્થળની આસપાસ વરસાદ બાદ કીચડનું સામ્રાજ્ય દૂર કરવા યુદ્ધના ધોરણે તંત્રની કામગીરી...

સભામંડપ સહિત પાર્કિંગ એરિયામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેથી વડાપ્રધાનના આગમનની તૈયારી કરતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે

New Update
ભરૂચ : આમોદમાં PM મોદીના સભા સ્થળની આસપાસ વરસાદ બાદ કીચડનું સામ્રાજ્ય દૂર કરવા યુદ્ધના ધોરણે તંત્રની કામગીરી...

ધોધમાર વરસાદ વરસતા ભરૂચ જિલ્લાના આમોદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન પહેલાં સભામંડપ સહિત આસપાસના વિસ્તારમાં પાણી ભરાતા વહીવટી તંત્ર દ્વારા કપચી, મેટલ તથા ડસ્ટ પાથરી સભાસ્થળને સમથળ કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. જંબુસર તાલુકા ટંકારી બંદર સહિતના 5 ગામોની 2 હજાર એકર જેટલી જમીન ઉપર નિર્માણ થનાર ભારતના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કના ખાતમુહૂર્ત પ્રસંગે PM મોદી આગામી તા. 10મી ઓક્ટોમ્બર સોમવારના રોજ આમોદ ખાતે આવી રહ્યા છે..

ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા PM મોદીના આગમન પૂર્વે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે. જોકે, ગતરોજ બપોર બાદ આમોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસતા PM માટે બનાવેલા સભામંડપ સહિત પાર્કિંગ એરિયામાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. જેથી વડાપ્રધાનના આગમનની તૈયારી કરતાં તંત્રમાં દોડધામ મચી જવા પામી છે. તો બીજી તરફ સભા સ્થળે ભરાયેલ પાણીના નિકાલ માટે કામગીરી હાથ ધરી સભા મંડપની આજુબાજુનો વિસ્તાર વ્યવસ્થિત કરવા સેંકડો જેસીબી મશીન સહિત શ્રમિકોને કામે લગાડવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, PM મોદીના સભા સ્થળે પાર્કિંગ એરિયાની જિલ્લા કલેકટર તુષાર સુમેરા, જિલ્લા પોલીસ વડા ડૉ. લીના પાટીલ, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, સાસંદ મનસુખ વસાવા તેમજ આમોદ તાલુકા ભાજપના સ્થાનિક આગેવાનોએ સ્થળ મુલાકાત લીધી હતી. જેમાં પાર્કિંગ વ્યવસ્થાને બદલવા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ: પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલ પૂર્વ CM વિજય રૂપાણીને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા, શોકસભાનું કરાયુ આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 

New Update
  • ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન

  • ભાજપ દ્વારા શોકસભાનું આયોજન

  • સ્વ.વિજય રૂપાણીને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા

  • ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત

  • સ્વ.વિજય રૂપાણીના કાર્યોને યાદ કરાયા

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી માટે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા 
તાજેતરમાં વિમાન દુર્ઘટનામાં અવસાન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી માટે ભરૂચ શહેરમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
શોકસભામાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લાના ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, જંબુસરના ધારાસભ્ય ડી.કે. સ્વામી,પૂર્વ ધારાસભ્ય અને સંઘ પ્રદેશ ભાજપના પ્રભારી દુષ્યંત પટેલ, પૂર્વ પ્રમુખ મારુતિસિંહ અટોદરીયા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી પુર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.શોકસભામાં પક્ષના કાર્યકરો તથા વિભિન્ન સમાજના પ્રતિનિધિઓએ પણ હાજરી આપી દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. કાર્યક્રમના અંતે સૌએ પ્રાર્થના કરી સ્વ.વિજય રૂપાણીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.