ભરૂચ: અંકલેશ્વરના ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
આ કેમ્પમાં વિવિધ રોગો જેવા કે હૃદય રોગ, આંખ રોગ, સ્ત્રી રોગ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવી.
BY Connect Gujarat Desk17 Oct 2021 9:52 AM GMT
X
Connect Gujarat Desk17 Oct 2021 9:52 AM GMT
અંકલેશ્વર તાલુકાના ગડખોલ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પારુલ સેવાશ્રમ હોસ્પિટલ, વાઘોડિયા અને સામુહિક આરોગ્ય કેન્દ્ર ગડખોલ દ્વારા તારીખ ૧૬ મી ઓક્ટોબર શનિવારના રોજ નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં વિવિધ રોગો જેવા કે હૃદય રોગ, આંખ રોગ, સ્ત્રી રોગ સહિતના રોગોની નિઃશુલ્ક સારવાર નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવી. આ કેમ્પમાં વડોદરાના સ્પેશ્યાલીસ્ટ ડૉક્ટરોની ટીમ દ્વારા સર્વ રોગ નિદાન કરવામાં આવ્યું. આ કેમ્પમાં કુલ 250 થી વધારે લોકોએ ભાગ લીધો હતો.આ પ્રસંગે સામુહિક આરોગ્ય કેન્દ્ર, ગડખોલના ડૉ.રાજેન્દ્ર સોલંકી તથા પારુલ સેવાશ્રમ હોસ્પિટલ, વાઘોડિયાના ડૉક્ટર અને માર્કેટિંગ મેનેજર નીતિન શર્મા અને પી.આર.ઓ. પંકજ પાટણવાડિયા હાજર રહ્યાં હતાં.
Next Story