ભરૂચ: ખાણીપીણીનો સ્ટોલ ધરાવતા વેપારીઓને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરાતા હોવાના આક્ષેપ,કલેક્ટરને કરાય રજૂઆત

ખાણીપીણીનો સ્ટોલ ધરાવતા વેપારીઓ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું અને પોલીસ ખોટી રીતે હેરાનગતિ કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

New Update
ભરૂચ: ખાણીપીણીનો સ્ટોલ ધરાવતા વેપારીઓને પોલીસ દ્વારા ખોટી રીતે હેરાન કરાતા હોવાના આક્ષેપ,કલેક્ટરને કરાય રજૂઆત

ભરૂચ શહેરમાં ખાણીપીણીનો સ્ટોલ ધરાવતા વેપારીઓ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું હતું અને પોલીસ ખોટી રીતે હેરાનગતિ કરતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.

ભરૂચ શહેરના શક્તિનાથ, કોલેજ રોડ, ઝાડેશ્વર રોડ, ઝાડેશ્વર ચોકડી વિસ્તારના લારી- ગલ્લા ધારકોએ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી રાત્રે વધુ સમય વેપાર કરવા દેવા માટેની માંગ સાથે રજુઆત કરી હતી.લારી ગલ્લા ધારકોએ જિલ્લા કલેકટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવાયું છે કે ભરુચ એક ઔદ્યોગિક વિકાસશીલ અને હરણફાળ કરતું શહેર છે અને ભરુચ શહેરમાં પરપ્રાંતિય વ્યક્તિઓ અનેક રાજ્યોમાંથી વસવાટ કરતાં આવેલા છે.આવી વ્યક્તિઓ એકલવાયું જીવન જીવતા હોય છે અને તેઓ નોકરી કરી જયારે ઘરે આવે ત્યારે તેઓને પેટનો ખાડો પુરવા માટે જમવા માટે અનેક હોટલ તથા લારી-ગલ્લા ધારકોની મદદ લેવી પડતી હોય છે.તેઓ રાત્રિના સેકન્ડ સિફ્ટ કરી ભરુચ શહેરમાં આવતા પોતાના ભોજનની વ્યવસ્થા માટે હોટલ તથા લારી-ગલ્લા ધારકો પાસે જતા હોય છે પરંતુ છેલ્લા 15 દિવસથી ભરૂચ શહેરના પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ રાત્રિના ૧૦:૩૦ કલાકે દાદાગીરી કરી તેમને જેલમાં બેસાડી દેવાની ધમકી આપી તમામ વેપારીઓને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે અને સાથે જ મોડી રાત્રી સુધીઓ વેપાર કરવા દેવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: મહોરમનું પર્વ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા તાજીયા કમિટી દ્વારા તંત્રનો આભાર વ્યક્ત કરાયો

અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું

New Update
Tajiya Commitee
અંકલેશ્વર શહેર-તાલુકા તાજીયા કમિટી દ્વારા વહીવટી તંત્ર, પોલીસ પ્રશાસન, ગુજરાત વિદ્યુત બોર્ડ અને અંકલેશ્વર નગરપાલિકાનો આભાર વ્યક્ત કરી સન્માન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરમાં મોહરમનું પર્વ શાંતિપૂર્ણ અને કોમી એખલાસભર્યા વાતાવરણમાં સંપન્ન થયું છે જે બદલ અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી, મામલતદાર  કરણસિંહ રાજપૂત, નાયબ પોલીસ અધિક્ષક,ડો.કુશલ ઓઝા,પોલીસ ઇન્સ્પેકટર  પી જી ચાવડા, પાલિકા પ્રમુખ લલીતાબેન રાજપુરોહિત, શિક્ષણ સમિતિ ચેરમેન ગણેશ અગ્રવાલ, ભાજપ શહેર પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિતના આગેવાનોનો આભાર વ્યક્ત કરી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

Tajiya Commitee Ankleshwar

આ પ્રસંગે કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફડવાલા, ઉપપ્રમુખ અમન પઠાણ, નૂર કુરેશી, લીગલ એડવાઈઝર હારુન મલેક સહિતના આગેવાનો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.