ભરૂચ: વાગરાના કોલીયાદ ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામના આક્ષેપ

કોલીયાદ ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતુ.

New Update
ભરૂચ: વાગરાના કોલીયાદ ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામના આક્ષેપ

ભરૂચના કોલીયાદ ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામના આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતુ.

ભરૂચ વાગરાના કોલીયાદ ગામની સીમમાં આદિવાસીને ખેડવા આપેલ જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામ થઈ રહેલ હોવાના આક્ષેપ સાથે કાર્યવાહીની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.વેંગણીના રહીશો દ્વારા જિલ્લા કલેકટરને પાઠવવામાં આવેલ આવેદનપત્ર માં જણાવાયું છે કે ગામના રહીશ નામે અરવિંદભાઈ અભેસંગભાઈ ગેરકાયદેસર માટી ખોદકામ ખાણખનીજની પરમીશન વગર તેમજ ગ્રામ પંચાયતના ખોટા ઠરાવ રજુ કરી કોલીયાદ ગામનાં આદિવાસીને ખેડવા માટે કલેક્ટર તરફથી જમીન આપેલ છે. આ ઈસમ તમારી જમીન જી.આઈ.ડી.સી. માં જશે તો તને કોઈ નાણાંકીય રકમ મળે નહીં એમ ખોટા પ્રોત્સાહન આપી ૧ એકરનો ૨ લાખમાં ૮ થી ૧૦ ખેડૂતની જમીન ગેરકાયદેસર ખેડી નાંખી છે. તે સ્થળ ઉપર તલાટી કમ મંત્રી યા મામલતદાર દ્વારા સ્થળ ઉપર નિરીક્ષણ કરી જમીન આપનાર જમીન ખોદકામ કરનાર તેમજ વગર રોયલ્ટીએ માટી લેનાર સામે કાયદેસરની કાર્યવાહી થાય એ હેતુ ધ્યાન પર ભરૂચ એસ.પી. સમક્ષ એફ.આર.આઈ. કરી કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ કરવામાં આવી છે.આ ઉપરાંત આ ઈસમ છેલ્લા ૧૦ વર્ષથી ગેરકાયદેસર માટી ખોદકામ કરી પંચાયતના સરપંચથી માંડી ખાણ ખનીજનાં ઓફિસર પણ આ ગેરકાયદેસર માટી ખોદકામમાં સામેલ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.   

Latest Stories