ભરૂચ : કુકરવાડાની વિધવાની છેડતી અને મારી નાખવાની ધમકીની ફરિયાદમાં કાર્યવાહીની માંગ સાથે કલેકટને આવેદન

કુકરવાડા મા બે દિકરા તથા એક દિકરી સાથે રહેતી અને સાફ સફાઇની નોકરી કરી ગુજરાન ચલાવતી વિધવાએ ગામમાં રેહતા સરપંચના ભાઈ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

New Update
ભરૂચ : કુકરવાડાની વિધવાની છેડતી અને મારી નાખવાની ધમકીની ફરિયાદમાં કાર્યવાહીની માંગ સાથે કલેકટને આવેદન

ભરૂચના કુકરવાડા મા બે દિકરા તથા એક દિકરી સાથે રહેતી અને સાફ સફાઇની નોકરી કરી ગુજરાન ચલાવતી વિધવાએ ગામમાં રેહતા સરપંચના ભાઈ ઉમેશ માછી પટેલ સામે ઘરમાં આવીને દુષ્કર્મ આચરવાના પ્રયાસ કરી અને જાતિ વાચક અપ શબ્દો કહેવા તેમજ પુત્રને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ભરૂચ રૂરલ મક્તમપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ઘણો સમય વીતી ગયેલ હોવા છતા પોલીસે કોઇ કાર્યવાહી કરી નથી અને આરોપીની ધરપકડ પણ કરી નથી . જેથી આરોપી અને તેના કુટુંબીજનો ,ભાઇઓ તથા મિત્રો વારંવાર ફરિયાદ પાછી ખેંચી લેવાનું કહી ધમકી આપતા હોવાના આક્ષેપ કરી બીટી એસ મહિલા મોરચા દ્વારા વિધવા મહિલાના સમર્થનમાં આગળ આવી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કાર્યવાહી કરવા હુકમ કરવા રજૂઆત કરવામાં આવી હતી.

Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.

Latest Stories