Connect Gujarat
ભરૂચ

ભરૂચ : શેરપુરા નજીક અન્ય બસની અડફેટે સ્થાનિક બસ ચાલક વૃધ્ધનું મોત, વીફરેલા ટોળાએ બસમાં આગ ચાંપી

શેરપુરા નજીક 2 લકઝરી બસમાં લોકોએ આગ ચાંપી બસની અડફેટે સ્થાનિક વૃદ્ધનું મોત થતાં લોકો વિફર્યા બનાવના પગલે લોકોમાં મચી હતી ભારે અફરાતફરી

X

ભરૂચના શેરપુરા નજીક એક લકઝરી બસ ચાલક બસમાંથી ઉતરી ઘરે જવા જતા સામેથી પુર ઝડપે આવતી અન્ય લકઝરી બસની અડફેટે આવી જતાં અકસ્માતે જીવ ગુમાવવાનો વારો શેરપુરા નજીક 2 લકઝરી બસમાં લોકોએ આગ ચાંપીબસની અડફેટે સ્થાનિક વૃદ્ધનું મોત થતાં લોકો વિફર્યા બનાવના પગલે લોકોમાં મચી હતી ભારે અફરાતફરીઆવતા ઉશ્કેરાયેલા સ્થાનિકોએ અકસ્માત સર્જનાર બસમાં તોડ ફોડ કરી 2 લકઝરી બસ સળગાવતા અફરાતફરી મચી હતી.

મળતી માહિતી અનુસાર, એક્ષપ્રેસ હાઇવે પર ચાલી રહેલા કામમાં માણસોને લાવવા લઇ જવાનો કોન્ટ્રાક્ટ લક્ષ્મી ટ્રાવેલ્સને મળ્યો હતો. જેમાં બસ નં. GJ-03-AW-9810ના ચાલક તરીકે શેરપુરાના ફોકલ ફળીયામાં રહેતા આશરે 65 વર્ષીય ઇસ્માઇલ આદમ માંચવાલા નોકરી કરતા હતા. જેઓ ગત રોજ મોડી સાંજે 8.30 કલાકની આસપાસ પોતાની બસના પેસેન્જરો ઉતારી શ્રવણ ચોકડી તરફથી પરત આવી પોતાની બસ શેરપુરા બસ સ્ટેન્ડ પાસે ઉભી રાખી બસનો દરવાજો ખોલી નીચે ઉતરી રહ્યા હતા, ત્યારે સામે દહેજ તરફથી જમાદાર ટ્રાવેલ્સની બિરલા કોપરની શીફ્ટ લઈ પુરઝડપે આવતી લકઝરી બસ નં. GJ-01-9367ના ચાલકે ઇસ્માઇલ માંચવાલાને અડફેટે લેતા તેમને માથામાં ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું કરૂણ મોત નીપજ્યું હતું.

અકસ્માત થતાં જ સ્થાનિકો ટોળા ઉમટ્યા હતા અને અકસ્માત સર્જી ભાગવા જતા લકઝરી બસના ચાલકને આંતરી બસને થોભાવી દીધી હતી. ગામના જ વયસ્કના મોતના પગલે ઉશ્કેરાયેલા સ્થાનિકોએ બસમાં તોડફોડ કરી અકસ્માત સર્જનાર બસ તેમજ તેની આગળ ઉભેલ જમાદાર કંપનીની બિરલા કોપરની બસને આગ ચાંપી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા એકસમયે શેરપુરા રોડ ઉપર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. શેરપુરા નજીક બસ સળગાવી હોવાની જાળ થતાં જ પોલીસ કાફલા સહિત ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ભારે જહેમત સાથે પોલીસે પરિસ્થીતી પર કાબુ મેળવવા પ્રયાસો હાથ ધર્યા હતા. પોલીસે મામલો થાળે પાડવાની સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Next Story