ભરૂચ : શું જૈન સમાજના યુવાનો માંસાહારી છે ? સાંસદના નિવેદન સામે આક્રોશ

તૃણમુલ કોંગ્રેસના સાંસદ મૌઉઆ મોઇત્રાએ સંસદમાં કરેલા નિવેદન બાદ જૈન સમાજમાં રોષ ભભુકી ઉઠયો છે

New Update
ભરૂચ : શું જૈન સમાજના યુવાનો માંસાહારી છે ? સાંસદના નિવેદન સામે આક્રોશ

તૃણમુલ કોંગ્રેસના સાંસદ મૌઉઆ મોઇત્રાએ સંસદમાં કરેલા નિવેદન બાદ જૈન સમાજમાં રોષ ભભુકી ઉઠયો છે તો પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણી પહેલાં ભાજપને મુદ્દો મળ્યો છે.

પશ્ચિમ બંગાળના ટીએમસીના સાંસદ મૌઉઆ મૌઇત્રાએ સંસદમાં નિવેદન આપ્યુ હતું કે, જૈન પરિવારનો દીકરો પરિવારથી છુપાઈને માં અમદાવાદની ગલીઓમાં કબાબ અને નોનવેજ ખાય છે. તેમના નિવેદનના વિરોધમાં ભરૂચમાં જૈન સમાજના આગેવાનો એકત્ર થયાં હતાં. શકિતનાથ સર્કલથી રેલી સ્વરૂપે આગેવાનો કલેકટર કચેરીએ પહોંચ્યાં હતાં અને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. વિવાદીત નિવેદન બદલ સાંસદ માફી માંગે તેવી જૈન સમાજની માંગ છે. જૈન એલર્ટ ગૃપ આમોદ તેમજ ભરૂચના આગેવાનો રાજેશ શાહ, નરેશ શાહ, લોકેશ શાહ સહિત મોટી સંખ્યામાં જૈન બંધુઓ જોડાયાં હતાં.

પાંચ રાજયોમાં વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે ટીએમસીના સાંસદે ભાજપને પણ મુદ્દો આપ્યો હોય તેમ લાગી રહયું છે. જૈન સમાજને ભાજપે સમર્થન આપ્યું છે. ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવેલાં જૈનોની સાથે ભાજપના આગેવાનોએ પણ ટીએમસી વિરૂધ્ધ નારેબાજી કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા તથા અન્ય આગેવાનો આ પ્રસંગે હાજર રહયાં હતાં.

Read the Next Article

ભરૂચ : નેશનલ સ્પોર્ટ્સ ડે અન્વયે કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાય…

ભરૂચ જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ગણેશચતુર્થી અને નેશનલ સ્પોર્ટ્સ ડે અન્વયે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું

New Update
National Sports Day

ભરૂચ જિલ્લામાં આગામી તા. 28થી 31 ઓગસ્ટ દરમિયાન વહીવટી તંત્ર દ્વારા નેશનલ સ્પોર્ટ્સ ડેની ઉજવવણીનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં તા. 28મી ઓગસ્ટના રોજ શાળા કક્ષાએ નેશનલ સ્પોર્ટ્સ ડે અંર્તગત નિબંધ લેખન અને ચિત્ર સ્પર્ધા તેમજ ગણેશચતુર્થી નિમિત્તે શ્રેષ્ઠ પંડાલ પ્રતિયોગિતા યોજાશેજ્યારે તા. 29 ઓગસ્ટના રોજ લુવારા સ્થિત એમીકસ ઈન્ટનેશલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાશેતો તા. 30 ઓગસ્ટના રોજ શાળાઓમાં મેદાનને અનુરૂપ પરંપરાગત વિવિધ રમતોનું આયોજન હાથ ધરવામાં આવનાર છે.

આ સાથે જ તા. 31 ઓગસ્ટના રોજ ભરૂચ શહેરમાંસન્ડે ઓન સાઈકલ’ રેલીનું પણ વિશેષ આયોજન હાથ ધરાયું છે. વહેલી સવારે 6.30 કલાકે કલેક્ટર કચેરીના પટાંગણથી સાયક્લોથોનનો મહાનુભાવોની અધ્યક્ષતામાં પ્રારંભ કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્ર્મની વિસ્તૃત માહિતી આપવા હેતુસર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું.