ભરૂચ : શું જૈન સમાજના યુવાનો માંસાહારી છે ? સાંસદના નિવેદન સામે આક્રોશ

તૃણમુલ કોંગ્રેસના સાંસદ મૌઉઆ મોઇત્રાએ સંસદમાં કરેલા નિવેદન બાદ જૈન સમાજમાં રોષ ભભુકી ઉઠયો છે

New Update
ભરૂચ : શું જૈન સમાજના યુવાનો માંસાહારી છે ? સાંસદના નિવેદન સામે આક્રોશ

તૃણમુલ કોંગ્રેસના સાંસદ મૌઉઆ મોઇત્રાએ સંસદમાં કરેલા નિવેદન બાદ જૈન સમાજમાં રોષ ભભુકી ઉઠયો છે તો પાંચ રાજયોની વિધાનસભાની ચુંટણી પહેલાં ભાજપને મુદ્દો મળ્યો છે.

પશ્ચિમ બંગાળના ટીએમસીના સાંસદ મૌઉઆ મૌઇત્રાએ સંસદમાં નિવેદન આપ્યુ હતું કે, જૈન પરિવારનો દીકરો પરિવારથી છુપાઈને માં અમદાવાદની ગલીઓમાં કબાબ અને નોનવેજ ખાય છે. તેમના નિવેદનના વિરોધમાં ભરૂચમાં જૈન સમાજના આગેવાનો એકત્ર થયાં હતાં. શકિતનાથ સર્કલથી રેલી સ્વરૂપે આગેવાનો કલેકટર કચેરીએ પહોંચ્યાં હતાં અને કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. વિવાદીત નિવેદન બદલ સાંસદ માફી માંગે તેવી જૈન સમાજની માંગ છે. જૈન એલર્ટ ગૃપ આમોદ તેમજ ભરૂચના આગેવાનો રાજેશ શાહ, નરેશ શાહ, લોકેશ શાહ સહિત મોટી સંખ્યામાં જૈન બંધુઓ જોડાયાં હતાં.

પાંચ રાજયોમાં વિધાનસભાની ચુંટણીઓ આવી રહી છે ત્યારે ટીએમસીના સાંસદે ભાજપને પણ મુદ્દો આપ્યો હોય તેમ લાગી રહયું છે. જૈન સમાજને ભાજપે સમર્થન આપ્યું છે. ભરૂચ કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવા આવેલાં જૈનોની સાથે ભાજપના આગેવાનોએ પણ ટીએમસી વિરૂધ્ધ નારેબાજી કરી હતી. જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા તથા અન્ય આગેવાનો આ પ્રસંગે હાજર રહયાં હતાં.

Read the Next Article

ભરૂચ: નેત્રંગના ધાંણીખુટ પાસે કરજણ નદી પર બનાવાયેલ બ્રિજ જર્જરીત હાલતમાં, તાત્કાલિક સમારકામની માંગ

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે. ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા

New Update
MixCollage-12-Jul-2025-

ગંભીરા બ્રિજની ધટના બાદ રાજય ભરમાં જોખમી બ્રિજોની ચકાસણી ચાલી રહી છે. તેવા સંજોગોમાં ભરૂચ જીલ્લામાં પણ આવા જોખમી જજઁરીત બ્રિજોની તપાસ ચાલી રહી છે.

ત્યારે  નેત્રંગ-ડેડીયાપાડા રોડ પર નેત્રંગ તાલુકાના ધાંણીખુટ ગામ પાસેથી વહેતી કરજણ નદી પર વર્ષો જુનો નિમાઁણ થયેલ બ્રિજ પણ જજઁરીત હાલતમાં થઈ ગયો છે.
આ બ્રિજ ભરૂચ અને નર્મદા તેમજ મહારાષ્ટ્ર રાજ્યને જોડતો  બ્રિજ છે. હાલ આ બ્રિજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના તાબા હેઠળ છે. અંકલેશ્વર,ભરૂચ, વડોદરા અને દહેજ જીઆઇડીસીના ઔદ્યોગિક એકમોમાં બનતી ભારેખમ મશીનરીઓ  મોટા વાહનો મારફત મહારાષ્ટ્ર થઈ અન્ય રાજ્યોમાં જાય છે.બાકી અન્ય ભારદારી વાહનો પણ રોજેરોજ આ બ્રિજ પરથી પસાર થઇ રહ્યા છે. તેવા સંજોગો ગંભીરા બ્રિજની બનેલ દુર્ઘટના બાદ સ્થાનિક રહીશોમાં આ બ્રિજની જજઁરીત હાલત જોઈ ને ભય સતાવી રહ્યો છે તેવા સંજોગોમાં જીલ્લા કલેક્ટર તેમજ નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડીયાના અધિકારીઓ આ બ્રિજની તાત્કાલિક તપાસ હાથ ધરે તેમજ બ્રિજ આજુબાજુ તુટી ગયેલ રેલીંગની મરામત કરે એવી માંગ ઉઠી છે.
Latest Stories