ભરૂચ : મહિલા દિનના ભાગરૂપે 20 જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા અવનવી વાનગીઓ તૈયાર કરાશે

ભરૂચ અને નર્મદા જીલ્લામાં આવનારા રવિવારના રોજ ગુજરાતભરની 20 પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે એક રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું..

New Update
ભરૂચ : મહિલા દિનના ભાગરૂપે 20 જેટલી પ્રજ્ઞાચક્ષુ બહેનો દ્વારા અવનવી વાનગીઓ તૈયાર કરાશે

ભરૂચ અને નર્મદા જીલ્લામાં આવનારા રવિવારના રોજ ગુજરાતભરની 20 પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે એક રસોઈ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું..ભરૂચ અને નર્મદા જિલ્લામાં અંધજનો માટે ઘણું જ અલ્પ કામ થયેલું છે. નેશનલ એસોસિયેશન ફોર ધી બ્લાઈન્ડ " ભરૂચ જિલ્લા શાખા દ્વારા આગામી રવિવારે પ્રજ્ઞાને સથવારે પૂર્ણતાનો પ્રયાસ " અંતર્ગત ગુજરાતભરમાંથી 20 અંધ બહેનો દ્વારા ભરૂચના આંગણે પ્રજ્ઞાચક્ષુ મહિલાઓની રસોઈની કરામત દેખાડી જનતામાં અંધજનો અને અન્ય દીવ્યાંગો વિશે જાગૃતિ લાવવાનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે.

આ કાર્યક્રમના આયોજન પાછળ અંધજનો અને અન્ય દિવ્યાંગો માટેના કાર્યોને વેગ આપી અંધકારમાં દીવો પ્રગટાવવાનો આશય છે. નિયંત્રીતોને અંધ બહેનો દ્વારા બનેલ વ્યંજનોનો રશાસ્વાદ કરવામાં આવશે. અગાઉ એક માસમાં 20 જેટલા નેત્ર યજ્ઞો કરી 250 જેટલા મોતિયાના ઓપરેશન સંસ્થાએ કરેલ છે.સંસ્થા ટુક સમયમાં જ અંધજનો અને અન્ય દીવ્યાંગો માટે શિક્ષણ, તાલીમ અને પુનર્વસનના કાર્યક્રમો શરૂ કરશે.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.