ભરૂચ : ચોમાસાના પ્રારંભે જ ભરૂચ-દહેજને જોડતો માર્ગ થયો અત્યંત બિસ્માર, મોટા અકસ્માતની રાહ જોતું તંત્ર..!

ભરૂચ જિલ્લામાં દર ચોમાસામાં વરસાદના કારણે માર્ગો ધોવાય જતા હોય છે. જેથી માર્ગ પર ખાડા પડવાના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે

New Update
ભરૂચ : ચોમાસાના પ્રારંભે જ ભરૂચ-દહેજને જોડતો માર્ગ થયો અત્યંત બિસ્માર, મોટા અકસ્માતની રાહ જોતું તંત્ર..!

ભરૂચ જિલ્લામાં દર ચોમાસામાં વરસાદના કારણે માર્ગો ધોવાય જતા હોય છે. જેથી માર્ગ પર ખાડા પડવાના કારણે વાહનચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે, ત્યારે સામાન્ય વરસાદમાં જ ભરૂચ અને દહેજને જોડતો મુખ્ય માર્ગ બિસ્માર બનતા અનેક વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.

ભરૂચ જિલ્લામાં લાખો-કરોડો રૂપિયાના ખર્ચે માર્ગોનું નવીનીકરણ થતું હોય છે. પરંતુ તે માર્ગો એક વર્ષ પણ ટકતા નથી. તેવામાં ભરૂચની શ્રવણ ચોકડીથી દહેજ સુધીનો માર્ગ પ્રથમ વરસાદમાં જ ધોવાય જવાના કારણે માર્ગ પર મોટા ખાડા પડ્યા છે. જેથી વાહનોના ટાયર ખાડામાં ખાબકવાના કારણે ચાલક સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતા અનેક વાહનો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. બાયપાસ ચોકડીના બ્રિજ ઉપર 2થી અઢી ફૂટ ઊંડા ખાડાઓ પડી જવા સાથે બ્રિજમાં રહેલા લોખંડના સળિયા પણ ડોકિયા કરતા નજરે પડી રહ્યા છે. આ સળિયાઓના કારણે વાહન ચાલકોના ટાયરમાં પંચર પડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓ શરૂ કરીને રોડ-રસ્તા સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં કરોડો રૂપિયાનું આંધણ કરવામાં આવે છે. પરંતુ એક જ વરસાદમાં આ રસ્તા ધોવાય જતા કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલ રોડ-રસ્તાની કામગીરી પર ઘણા સવાલ ઉભા થયા છે, ત્યારે ભરૂચ-દહેજ માર્ગ અને બાયપાસ રોડનું વહેલી તકે સમારકામ હાથ ધરાય તેવી લોકમાંગ ઉઠી છે.

Read the Next Article

અંકલેશ્વરથી વાલિયા-નેત્રંગને જોડતા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ, કોંગ્રેસે આંદોલનની ચીમકી ઉચ્ચારી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.

New Update
  • અંકલેશ્વરથી નેત્રંગને જોડતા માર્ગની કામગીરી

  • રૂ.55 કરોડના ખર્ચે માર્ગનું થઈ રહ્યું છે નિર્માણ

  • માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપ

  • કોંગ્રેસ દ્વારા આંદોલનની ચીમકી ઉચ્ચરાય

  • કોર્ટ કેસની પણ ચીમકી

ભરૂચના નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ સાથે જવાબદાર એજન્સી સહિતના અધિકારીઓ સામે પગલાં ભરવા માંગ કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપસિંહ માંગરોલા બાદ નેત્રંગના કોંગ્રેસી આગેવાન શેરખાન પઠાણ દ્વારા અંકલેશ્વર-વાલિયા માર્ગની કામગીરી અધિકારીઓ અને કોન્ટ્રાકટરની મિલી ભગતથી હલકી ગુણવત્તાની કરવામાં આવતી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.અંકલેશ્વર-વાલિયા અને નેત્રંગને જોડતો રાજ્ય ધોરીમાર્ગ નંબર-13 પ્રથમ વરસાદે જ બિસ્માર બન્યો છે.ઠેરઠેર ખાડાઓ અને માર્ગ તૂટી ગયો હોવાથી તેમાં યોગ્ય સામગ્રી વાપરવા નહીં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લામાં મનરેગા કૌભાંડ સામે આવ્યું છે.તે રીતે 55 કરોડના ખર્ચે બની રહેલ નેત્રંગ-અંકલેશ્વર માર્ગમાં ભ્રષ્ટાચાર થયો હોવા સાથે અધિકારી,કોન્ટ્રાકટર સહિત લાગતા વળતા વિભાગના મંત્રીનો હાથ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે.જો આ કામગીરી સારી ગુણવત્તાની નહીં કરવામાં આવે તો તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામા આવી છે.અને  માર્ગનું નિર્માણ કરનાર શિવાલય ઈંફાસ્ટ્રક્ચર એજન્સી તેમજ અધિકારી સામે કોર્ટ કેસ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામા આવી છે.