ભરૂચ : આમોદ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલ ખાતે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું...

ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

New Update
ભરૂચ : આમોદ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલ ખાતે લાભાર્થીઓને આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરાયું...

ભરૂચ જિલ્લાના આમોદ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલ ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો.

કેન્દ્ર સરકાર દ્વારા ગરીબ પરિવારના લોકોને મફત સારવાર આપવા માટે એક વિશેષ યોજના જાહેર કરવામાં આવી છે. વાર્ષિક ધોરણે લાભાર્થી પરિવારોને આયુષ્માન કાર્ડ દ્વારા રૂ. 5 લાખની કેશલેસ આરોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે છે, ત્યારે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા આમોદ સ્થિત સ્વામિનારાયણ સ્કૂલ ખાતે આયુષ્યમાન કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત લાભાર્થીઓને મહેમાનોના હસ્તે આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નાહીયેર ગુરુકુળના ડી.કે.સ્વામી, આમોદ મામલતદાર, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ, આમોદ તાલુકા પંચાયત પ્રમુખ, આમોદ નગરપાલિકા પ્રમુખ, આમોદ શહેર ભાજપ પ્રમુખ, ભરૂચ જિલ્લા ભાજપ મંત્રી, આમોદ તાલુકા હેલ્થ ઓફિસર સહિતના મહાનુભાવો સહિતના આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

ભરૂચ: ઝઘડિયા GIDCની કોહલર ઇન્ડિયા કંપની સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ, તલોદરા ગામની જમીન પચાવી પાડી હોવાનો આરોપ

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

New Update
  • ભરૂચના ઝઘડિયામાં આવેલી છે કંપની

  • કોહલર ઇન્ડિયા કંપની સામે ફરિયાદ

  • તલોદરા ગ્રામપંચાયતની જમીનનો મામલો

  • જમીન પચાવી પાડી હોવાનો આરોપ

  • કોર્ટમાં દાવો દાખલ કરાયો

ભરૂચના ઝઘડિયાની કોહલર ઇન્ડિયા કોર્પોરેશન દ્વારા તલોદરા ગ્રામ પંચાયતની જમીન પર બિનઅધિકૃત કબજો કરવામાં આવતા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરાતા ખળભળાટ મચી જવા પામ્યો છે.
ભરૂચના ઝઘડિયા તાલુકામાં આવેલ તલોદરા ગ્રામ પંચાયત દ્વારા પંચાયતની જમીન પર કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ બિનઅધિકૃત કબજો કર્યો હોવાનું સામે આવતાં કંપનીના તમામ ડિરેક્ટરો અને મેનેજર સામે ભરૂચ કલેક્ટર સમક્ષ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. સાથે જ ઝઘડિયા કોર્ટમાં ગેરકાયદેસર કબજો પરત મેળવવા માટે ન્યાયિક દાવો પણ દાખલ કરાયો છે. આ અંગે એડવોકેટ રાકેશ પરમારે જણાવ્યું હતું કે ઝઘડિયા GIDC વિસ્તારમાં આવેલી કોહલર ઇન્ડિયા કોર્પોરેશન પ્રાઇવેટ લિમિટેડે તલોદરા ગ્રામ પંચાયતની એવી જમીન પર કબજો કર્યો હતો જેનો સંપાદન પ્રક્રિયાથી કાયદેસર હસ્તાંતર થયો નથી. છતાં કંપનીએ મનસ્વી રીતે જમીન પર કમ્પાઉન્ડ વોલ બનાવતાં, પંચાયત દ્વારા વારંવાર કંપની તથા રેવન્યૂ અધિકારીઓને જમીન મુક્ત કરવાની રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ પરિણામ ન મળતાં તલોદરા ગ્રામ પંચાયતે કંપનીના ડિરેક્ટરો અને મેનેજર સામે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કલેક્ટર સમક્ષ દાખલ કરાઈ છે તેમજ કોર્ટમાં કબજો પરત લેવા માટે ન્યાયિક કાર્યવાહી શરૂ કરાઈ છે.