ભરૂચ:વડાપ્રધાનના મન કી બાતના 101માં એપિસોડને ભાજપ અગ્રણીઓએ સામૂહિક રીતે માણ્યો
વડાપ્રધાનના મન કી બાતના બીજા શતકના પેહલા કાર્યકમને માણવાનું ભોલાવની નારાયણ વિદ્યાવિહાર ખાતે સામૂહિક આયોજન કરાયું હતું
BY Connect Gujarat Desk28 May 2023 11:33 AM GMT
X
Connect Gujarat Desk28 May 2023 11:33 AM GMT
ભરૂચમાં વડાપ્રધાનના મન કી બાતના બીજા શતકના પેહલા કાર્યકમને માણવાનું ભોલાવની નારાયણ વિદ્યાવિહાર ખાતે સામૂહિક આયોજન કરાયું હતું
ભરૂચમાં ભોલાવ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત ના 101 માં કાર્યક્રમનું આયોજન જિલ્લા પ્રભારી અશોક પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.કાર્યકમનું આયોજન જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી દ્વારા કરાયું હતું. જેમાં મહામંત્રી નિરલ પટેલ, તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, ડેપ્યુટી સરપંચ,સભ્યો, અન્ય આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.101 માં મન કી બાતનો એપિસોડને માણ્યો હતો
Next Story