ભરૂચ:વડાપ્રધાનના મન કી બાતના 101માં એપિસોડને ભાજપ અગ્રણીઓએ સામૂહિક રીતે માણ્યો

વડાપ્રધાનના મન કી બાતના બીજા શતકના પેહલા કાર્યકમને માણવાનું ભોલાવની નારાયણ વિદ્યાવિહાર ખાતે સામૂહિક આયોજન કરાયું હતું

New Update
ભરૂચ:વડાપ્રધાનના મન કી બાતના 101માં એપિસોડને ભાજપ અગ્રણીઓએ સામૂહિક રીતે માણ્યો

ભરૂચમાં વડાપ્રધાનના મન કી બાતના બીજા શતકના પેહલા કાર્યકમને માણવાનું ભોલાવની નારાયણ વિદ્યાવિહાર ખાતે સામૂહિક આયોજન કરાયું હતું

ભરૂચમાં ભોલાવ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત ના 101 માં કાર્યક્રમનું આયોજન જિલ્લા પ્રભારી અશોક પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીની વિશેષ ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું.કાર્યકમનું આયોજન જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી દ્વારા કરાયું હતું. જેમાં મહામંત્રી નિરલ પટેલ, તાલુકા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સરપંચો, ડેપ્યુટી સરપંચ,સભ્યો, અન્ય આગેવાનો, કાર્યકર્તાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.101 માં મન કી બાતનો એપિસોડને માણ્યો હતો

Read the Next Article

ભરૂચ: કલેકટર કચેરી નજીકના આઇકોનીક રોડ પર જ ટ્રક ફસાઈ, રૂ.80 લાખના ખર્ચે બનેલ માર્ગની કામગીરીમાં બેદરકારીના આક્ષેપ !

ભરૂચમાં ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાઓનું પણ મંડાણ થયું છે. માત્ર છૂટા છવાયા વરસેલા વરસાદના કારણે કલેકટર ઓસીડ નજીક રોડ બેસી જવાની ઘટના સામે આવી

New Update
  • ભરૂચમાં વરસાદના આગમનથી જ સમસ્યા શરૂ

  • કલેકટર કચેરી નજીક બન્યો બનાવ

  • ટ્રક રોડની બાજુમાં ફસાઈ

  • રૂ.80 લાખના ખર્ચે કરવામાં આવ્યું છે માર્ગનું નવીનીકરણ

  • માર્ગની કામગીરીમાં બેદરકારીના આક્ષેપ

ભરૂચમાં વરસાદના ટીઝરથી જ નગર સેવાસદનની પોલ ખુલી ગઈ છે. જિલ્લાભરનો વહીવટ જ્યાંથી ચલાવવામાં આવે છે એવી કલેકટર કચેરી બહાર જ માર્ગ પર ટ્રક ખાડામાં બેસી ગઈ હતી જેના પગલે નગર સેવાસદન અને તેના કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ છે.
ભરૂચ જિલ્લામાં નૈઋત્યના ચોમાસાનું આગમન થયું છે પરંતુ ચોમાસાના આગમન સાથે જાણે સમસ્યાઓનું પણ મંડાણ થયું છે. માત્ર છૂટા છવાયા વરસેલા વરસાદના કારણે રોડ બેસી જવાની ઘટના સામે આવી છે. આજ રોજ સવારના સમયે કલેકટર કચેરી બહાર એક ટ્રક માર્ગની બાજુમાં ફસાઈ હતી. ભરૂચ નગર સેવાસદન દ્વારા તાજેતરમાં જ રૂપિયા 80 લાખના ખર્ચે આ આઇકોનિક માર્ગનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે પ્રથમ વરસાદમાં જ માર્ગની સાઇડનો ભાગ બેસી જતા લોડિંગ ટ્રકના બંને ટાયર ફસાઈ ગયા હતા જેના કારણે કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ છે.
સમગ્ર જિલ્લાનો વહીવટ જ્યાંથી ચલાવવામાં આવે છે એ કલેક્ટર કચેરી બહાર જ આ પ્રકારના દ્રશ્યો વિકાસની ચાળી ખાઈ રહ્યા છે. આ મામલે વિપક્ષ કોંગ્રેસના સભ્ય હેમેન્દ્ર કોઠીવાલા અને સ્થાનિક આગેવાન રાજુ પંડિત નગર સેવાસદન પર ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે. રૂપિયા 80 લાખ જેટલી માતબર રકમના ખર્ચે કલેકટર કચેરી આસપાસના માર્ગનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું ત્યારે પ્રથમ વરસાદમાં જ આ પરિસ્થિતિનું નિર્માણ કેવી રીતે થયું તે સહિતના પ્રશ્નો તેઓ દ્વારા કરવામાં આવ્યા છે
કલેકટર કચેરી બહાર જ આ પ્રકારના દ્રશ્યો જોવા મળતા નગર સેવાસદનના ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ ઘટના સ્થળ દોડી આવ્યા હતા અને કામગીરીમાં કચાશ ક્યાં રહી ગઈ તેનું નિરીક્ષણ કર્યું હતું.આ અંગે ચીફ ઓફિસર હરેશ અગ્રવાલે જણાવ્યું હતું કે કલેક્ટર કચેરી નજીક ચાર દિવસ પૂર્વે જ અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ લાઈનની કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ પુરાણ કરવામાં આવ્યું હતું પરંતુ વરસાદમાં માટી બેસી જતા આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
હજુ તો આખુ ચોમાસુ માથે છે ત્યાં શહેરમાં પ્રથમ ગ્રાસે જ માક્ષિકા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. કલેકટર કચેરી બહારના જ માર્ગ પર આવી તકલાદી કામગીરીના દ્રશ્યો જોવા મળે તો અંતરિયાળ વિસ્તારોમાં શું પરિસ્થિતિ હશે એની કલ્પના કરવી પણ મુશ્કેલ છે.કામગીરીમાં બેદરકારી દાખવનાર કોન્ટ્રાકટર સામે કડક પગલા ભરી દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ ઉઠી રહી છે.