ભરૂચ: ઝઘડીયાની નાઇટ્રેકસ કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ,3 કામદાર ઇજાગ્રસ્ત
ભરૂચની ઝઘડીયા ઓદ્યોગીક વસાહતમાં આવેલ નાઇટ્રેકસ કેમિકલ કંપનીમાં મેઈન્ટેનન્સની કામગીરી દરમ્યાન બ્લાસ્ટ થતા 3 કામદાર ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી
BY Connect Gujarat23 Nov 2021 8:58 AM GMT
X
Connect Gujarat23 Nov 2021 8:58 AM GMT
ભરૂચની ઝઘડીયા ઓદ્યોગીક વસાહતમાં આવેલ નાઇટ્રેકસ કેમિકલ કંપનીમાં મેઈન્ટેનન્સની કામગીરી દરમ્યાન બ્લાસ્ટ થતા 3 કામદાર ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર અર્થે ખસેડવાની ફરજ પડી હતી
ઓદ્યોગીક હબ ભરૂચ જીલ્લામાં અનેક ઓદ્યોગીક અકસ્માતો થાય છે આવો જ એક બનાવ ઝઘડીયા જીઆઈડીસીમાં બન્યો હતો. ઝઘડીયા જીઆઈડીસીમાં આવેલ નાઇટ્રેકસ કેમિકલ કંપનીના નાઇટ્રેશન ડિપાર્ટમેન્ટમાં મેઈન્ટેનન્સની કામગીરી ચાલી રહી હતી એ દરમ્યાન બ્લાસ્ટ થયો હતો જેમાં નજીકમાં કામ કરી રહેલ 3 કામદારો ઇજાગ્રસ્ત થયા હતા જેઓને સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ ઝઘડીયા પોલીસ અને સેફ્ટી તેમજ હેલ્થ વિભાગની ટિમ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ કરવામાં આવી હતી. ઇજાગ્રસ્ત કામદારોને સહાય માટે કંપની સત્તાધીશો દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું છે
Next Story