Connect Gujarat
ભરૂચ

ભરૂચ: અંકલેશ્વર પંથકમાં 1 જ દિવસમાં 2 લોકોના શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા મૃતદેહ,હત્યાની આશંકા

અંકલેશ્વરમાં ફરીએકવાર બે સ્થળોએથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે

X

અંકલેશ્વરમાં બુધવાર લોહિયાળ બન્યો હોવાનું લાગી રહ્યું છે. 2 અલગ અલગ સ્થળોએથી 2 વ્યક્તિના મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.અંકલેશ્વરમાં ફરીએકવાર બે સ્થળોએથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રથમ બનાવની વાત કરીયે તો અંકલેશ્વરના સારંગપૂર નજીક ઝાડીમાંથી એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકોએ આ અંગેની જાણ પોલીસને કરતા જીઆઈડીસી પોલીસ સહિત ડી.વાય.એસ.પી.ચિરાગ દેસાઇ ઘટના સ્થળે પહોંચ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મોઢાના ભાગે ઘા મારી યુવાનની હત્યા કરાય હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો પોલીસે મૃતકની ઓળખાણ અને તેના વાલીવારસની શોધખોળ શરૂ કરી છે. પોલીસે મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ શરૂ કરી છે.

તો બીજા બનાવમાં અંકલેશ્વરના મોતાલી ગામમાંથી 6 દિવસ પહેલા ગુમ થયેલ 17 વર્ષીય કિશોરનો મૃતદેહ ઉછાલી ગામ ગામની સીમમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વરના મોતાલી ગામના કૈલાસ ટેકરી ફળિયામાં રહેતો 17 વર્ષીય જિગ્નેશ જીતુભાઈ વસાવા ગત તારીખ-12મી નવેમ્બરના રોજ રાતે 8:30 કલાકથી ગુમ થયો હતો કિશોર ગુમ થતાં પરિવારજનોએ અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી હતી જે કિશોરનો 6 દિવસ બાદ અંકલેશ્વર તાલુકાનાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાખરામાંથી વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો બનાવ અંગે ઉછાલી ગામના ગ્રામજનોએ તાલુકા પોલીસ મથકે જાણ કરતાં પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને ગુનો નોંધી મૃતકના મૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે અંકલેશ્વરના સરકારી દવાખાને ખસેડી કિશોરની હત્યા થઈ છે કે અન્ય કારણોસર તેનું મોત નીપજયું છે તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

Next Story