ભરૂચ : શકિતનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના રસ્તાનું કારપેટીંગ શરૂ કરાયું

ભરૂચ શહેરના શકિતનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના બે કીમીના રસ્તાના રીસરફેસિંગની કામગીરીનો પ્રારંભ કરાયો છે.

New Update
ભરૂચ : શકિતનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના રસ્તાનું કારપેટીંગ શરૂ કરાયું

ભરૂચ શહેરના શકિતનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના બે કીમીના રસ્તાના રીસરફેસિંગની કામગીરીનો પ્રારંભ કરાયો છે.

ભરૂચ શહેરના શક્તિનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના રસ્તાના રીસફેસિંગની કામગીરીનો પ્રારંભ કરાયો છે. શહેરના પ્રવેશદ્વાર સમાન આ રસ્તા પરથી રોજના હજારો વાહનોની અવરજવર રહેતી હોય છે. શક્તિનાથ સર્કલથી શ્રવણ ચોકડી સુધીના બે કિલોમીટર લાંબા રોડ નું રૂ.અઢી કરોડ ના ખર્ચે નવીનીકરણના કાર્યનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ પ્રસંગે વિધાનસભાના મુખ્ય નાયબ દંડક દુષ્યંત પટેલ તથા અન્ય મહેમાનો હાજર રહયાં હતાં. આ રસ્તો ભરૂચ શહેરી વિસ્તારથી દહેજ જી.આઈ.ડી.સી ને જોડતો મહત્વનો માર્ગ હોવાથી ટ્રાફિકનું ભારણ પણ ખુબ જ રહે છે. વાહનોની સતત અવરજવરના કારણે રસ્તો ચોમાસામાં ધોવાઇ ગયો હતો. આ માર્ગના નવીનીકરણ બાદ રસ્તાની આજુબાજુ આડેધડ પાર્ક કરી દેવામાં આવતાં વાહનો સામે પોલીસ કાર્યવાહી કરે તેવી લોકો માંગ કરી રહયાં છે.

Read the Next Article

અંકલેશ્વર: JCI ઇન્ડિયા એલ્યુમની ક્લબ ઝોન 8 JAC રીજીયન Cના ચેરમેન તરીકે કમલેશ પંચાલની વરણી

JCI ઇન્ડિયા એલ્યુમની ક્લબ ઝોન 8 JAC રીજીયન C અંકલેશ્વર-ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમેની અંકલેશ્વર ખાતે યોજાઈ હતી જેમાં કમલેશ પંચાલ ચેરમેન તરીકે નિમાયા

New Update
  • અંકલેશ્વરમાં કરવામાં આવ્યું આયોજન

  • JCI દ્વારા આયોજન કરાયું

  • JAC રીજીયન Cના ચેરમેનની વરણી

  • કમલેશ પંચાલ ચેરમેન તરીકે નિમાયા

JCI ઇન્ડિયા એલ્યુમની ક્લબ ઝોન 8 JAC રીજીયન C અંકલેશ્વર-ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમેનીનું અંકલેશ્વર ખાતે આયોજન કરાયું હતું. JCI ઇન્ડિયા એલ્યુમની ક્લબ ઝોન 8 JAC રીજીયન C અંકલેશ્વર-ભરૂચની ઇન્સ્ટોલેશન સેરેમેની અંકલેશ્વર ખાતે યોજાઈ હતી જેમાં જેસી. કમલેશ પંચાલ રિજિયોનલ ચેરમેન તરીકે નિમાયા હતા.
આ પ્રસંગે ઝોન પ્રેસિડેન્ટ કિંજલ શાહ, ઝોન ટ્રેનર અને JAC ઝોન ચેરમેન બિંદુ શાહ, જેસીઝ મુવમેન્ટના સિનિયર સંજય માંકડ, સદૈવ જોષી , વિનોદ થાનકી, સુનિલ નેવે , મનોજ આનંદપુરા સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.રિજિયન C ના કમિટી હોદ્દેદારો તરીકે નેહાબેન નાયક, યોગેશ પંચાલ, પરેશ વઘાસિયાની વરણી કરાઈ હતી.