ભરૂચ: પંડિત ઓમકારનાથ ઠાકુરની 125મી જન્મજયંતિ નિમિત્તે કરાય ઉજવણી, સંગીત સંધ્યા યોજાય

રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુરની સવા સોમી જન્મ જયંતી નિમિત્તે સ્વરાકારની ઉજવણી કરવામાં આવી હતી

New Update
ભરૂચ: પંડિત ઓમકારનાથ ઠાકુરની 125મી જન્મજયંતિ નિમિત્તે કરાય ઉજવણી, સંગીત સંધ્યા યોજાય

શનિવારના રોજ પી.ડી.શ્રોફ રોટરી હોલ ખાતે રોટરી કલબ ભરૂચ દ્વારા પંડિત ઓમકાર નાથ ઠાકુરની સવા સો મી જન્મ જયંતી નિમિત્તે સ્વરાકારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભરૂચ જીલ્લા કલેકટર તુષાર સુમેરા,ડો.પીયુષ પરીખ,પ્રેસિડેન્ટ પ્રેમકુમાર,જે.કે.શાહ,પ્રફુલ વાયડાએ દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

" max-width="100%" class="video-element note-video-clip" height="360">

આ કાર્યક્રમમાં ભરૂચના સંગીતકારોમાં કલાગુરુ નગીન જાદવ,નીતિન પટેલ,નાગજી ટેલર,હરકિશન મૈસુરીયાનું સ્મરણ કરી ભરૂચમાં સંગીત એકેડમી શરુ કરવા કલેકટરે સુચન કર્યું હતું.આ કાર્યક્રમમાં તબલાવાદક વરિષ્ઠ દેવેશ દવે સાથે હોર્મોનીયમ પર આકાર દેવેન્દ્ર સુરભએ સંગત કરી તબલાની આકર્ષક પ્રસ્તૃતિ કરીને સંગીતપ્રેમીઓના દિલ જીતી લીધા હતા.

Read the Next Article

ભરૂચ : આમોદ નેશનલ હાઇવે નં.64 પર આર.ટી.ઓ.ની તપાસથી ટ્રક ચાલકોમાં ફફડાટ

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી

New Update
guj amod

90,000 રૂપિયાનો દંડ વસુલાયો, ઓવરલોડ અને બિનકાયદેસર વાહનો પર કાર્યવાહી

આમોદ નજીકના નેશનલ હાઇવે નં.64 પર ભરૂચ આર.ટી.ઓ. વિભાગ દ્વારા આજ રોજ ઓવરલોડ તેમજ કાગળ વિના દોડી રહેલા વાહનો સામે ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. આર.ટી.ઓ.ઇન્સ્પેક્ટર એમ.પી. ડાયમાની આગેવાની હેઠળ આ તપાસ દરમિયાન કુલ રૂ. 90,000 જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો.

આ માર્ગ પરથી દિવસ-રાત ભારે વાહનો પસાર થાય છે, જેમાં ખાસ કરીને નમક (મીઠું), રેતી અને હઝાર્ડ વેસ્ટ ભરેલ ટ્રકોનો સમાવેશ થાય છે. ઓવરલોડ અને સુરક્ષા નિયમોની અવગણનાથી અકસ્માતોની સંભાવના વધતી હોવાથી આર.ટી.ઓ. દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.તપાસની માહિતી વાયુવેગે ફેલાતા કેટલાય ટ્રક ચાલકોએ પોતાની ઓવરલોડ વાહનો રસ્તા કિનારે ઊભા રાખી દિધા હોવાની વિગતો સામે આવી છે. રાત્રિના સમયે દહેજ તરફ જતા મીઠું ભરેલ ટ્રકો અને હઝાર્ડ વેસ્ટવાળા વાહનો ગંભીર જોખમ ઊભું કરે છે, કારણ કે કેટલાક વાહનોમાંથી પ્રવાહી રોડ પર સરકે છે, જેને લીધે અકસ્માતોની ઘટનાઓ સર્જાઈ છે.તદુપરાંત, કરજણથી વહેલી સવારે પસાર થતી રેતી ભરેલી ટ્રકોમાં યોગ્ય કવરિંગ ન હોવાને કારણે રેતી ઉડીને પાછળ આવતા બાઈક સવારોને આંખમાં વળગી જાય છે. રાત્રી દરમિયાન કેટલીક ટ્રકોની લાઈટો પણ બંધ હોવાના કારણે માર્ગ પર અકસ્માતનો ભય વધ્યો છે.