ભરૂચ: પંડિત ઓમકારનાથ ઠાકુરની 125મી જન્મજયંતિ નિમિત્તે કરાય ઉજવણી, સંગીત સંધ્યા યોજાય
રોટરી કલબ ઓફ ભરૂચ દ્વારા પંડિત ઓમકારનાથ ઠાકુરની સવા સોમી જન્મ જયંતી નિમિત્તે સ્વરાકારની ઉજવણી કરવામાં આવી હતી
BY Connect Gujarat5 Jun 2022 12:37 PM GMT
X
Connect Gujarat5 Jun 2022 12:37 PM GMT
શનિવારના રોજ પી.ડી.શ્રોફ રોટરી હોલ ખાતે રોટરી કલબ ભરૂચ દ્વારા પંડિત ઓમકાર નાથ ઠાકુરની સવા સો મી જન્મ જયંતી નિમિત્તે સ્વરાકારનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ભરૂચ જીલ્લા કલેકટર તુષાર સુમેરા,ડો.પીયુષ પરીખ,પ્રેસિડેન્ટ પ્રેમકુમાર,જે.કે.શાહ,પ્રફુલ વાયડાએ દીપ પ્રાગટ્ય થકી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ભરૂચના સંગીતકારોમાં કલાગુરુ નગીન જાદવ,નીતિન પટેલ,નાગજી ટેલર,હરકિશન મૈસુરીયાનું સ્મરણ કરી ભરૂચમાં સંગીત એકેડમી શરુ કરવા કલેકટરે સુચન કર્યું હતું.આ કાર્યક્રમમાં તબલાવાદક વરિષ્ઠ દેવેશ દવે સાથે હોર્મોનીયમ પર આકાર દેવેન્દ્ર સુરભએ સંગત કરી તબલાની આકર્ષક પ્રસ્તૃતિ કરીને સંગીતપ્રેમીઓના દિલ જીતી લીધા હતા.
Next Story