ભરૂચ: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલે વિકાસના વિવિધ કાર્યોનું ખાતર્મુહુત-લોકાર્પણ

ભોલાવ ડેપો પર રોજની 900 કરતાં વધારે એસટી બસોની અવરજવર રહેશે જેના કારણે સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે

New Update
ભરૂચ: CM ભુપેન્દ્ર પટેલના હસ્તે આવતીકાલે વિકાસના વિવિધ કાર્યોનું ખાતર્મુહુત-લોકાર્પણ

ભરૂચમાં વિકાસના કામોનો ધમધમાટ

લોકસભાની ચૂંટણી પૂર્વે અનેક પ્રોજેકટ ખુલ્લા મુકાશે

સી.એમ.ભુપેન્દ્ર પટેલ બનશે ભરૂચના મહેમાન

વિવિધ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત

તંત્ર દ્વારા તૈયારીઓને અપાયો આખરી ઓપ

રાજયના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આવતીકાલે ભરૂચના મહેમાન બનશે તેઓના હસ્તે વિકાસના વિવિધ કાર્યોનું લોકાર્પણ અને ખાતર્મુહત કરાશે ભરૂચ લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થાય તે પહેલાં ભરૂચમાં નવનિર્મિત ભોલાવ ડેપોનું ગુરૂવારના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં લોકાર્પણ કરવામાં આવનાર છે. આ ઉપરાંત જિલ્લામાં વિકાસના અનેક કામોના ભૂમિપૂજન તેમજ લોકાર્પણ કરવામાં આવનાર છે. ભોલાવ ડેપોની સામે આવેલાં દૂધધારા ડેરીના મેદાન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

ભોલાવ ડેપો પર રોજની 900 કરતાં વધારે એસટી બસોની અવરજવર રહેશે જેના કારણે સ્થાનિક લોકોની મુસાફરી સરળ બનશે અને તેમને નર્મદા ચોકડી કે ઝાડેશ્વર ચોકડી સુધીનો ધકકો ઓછો થઇ જશે. ભોલાવ ડેપો 45 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે. ભોલાવ ડેપોના લોકાર્પણ બાદ શહેરમાં બે એસટી ડેપો કાર્યરત થશે. તે સાથે જ ભરૂચ જિલ્લામાં રોડ- રસ્તા આરોગ્યના સેન્ટરઓ સહિતના 200 કરોડથી વધુના કામગીરીઓની લોકાર્પણ અને ખાતમુહૂર્ત આવતીકાલે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે થવા જઈ રહ્યું છે ત્યારે આજરોજ ભરૂચ કલેકટર તુષાર સુમેરા ભરૂચ એસ.પી મયુર ચાવડા સહિત અધિકારીઓએ કાર્યક્રમ સ્થળનું નિરક્ષણ કર્યું હતું

Read the Next Article

અંકલેશ્વર: અસ્થિર મગજના ઇસમે વૃદ્ધ પર ચપ્પુના ઘા ઝીંકી ગામ માથે લીધું, અંતે પાલિકા અને પોલીસની ટીમે પકડ્યો

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

New Update
ank

અંકલેશ્વરમાં અસ્થિર મગજના ઈસમે ગામ માથે લીધું હતું.ચપ્પુ લઇ એક વૃદ્ધ પર 3 થી 4 ઘા ઝીંકી દીધા હતા.લોકો પકડવા દોડ્યા તો ડાંગ અને છરી લઇ લોકો પાછળ દોડ્યો હતો. 

અંકલેશ્વર માં શુક્વારના રોજ એક વિચિત્ર ઘટનાએ  લોકોને દોડતા કરી દીધા હતા. અંકલેશ્વર વ્હોરવાડ ખાતે રહેતા ફારુખ નામનો માનસિક રીતે બીમાર વ્યક્તિ 2 મહિના પહેલા જ વડોદરાથી પરિવારજનો દ્વારા સારવાર કરી પરત આવ્યા હતા જોકે દવા બંધ થઇ જતા ફારુખ પુનઃ માનસિક બીમારીમાં આવી અભદ્ર વર્તન કરવાનું શરુ કરી દીધું હતું. ફળીયામાં નગ્ન ફરવા સાથે લાકડાની ડાંગ , કુહાડી ચપ્પુ લઇ નીકળી પડતો હતો. જેણે આજરોજ ફળિયામાં રહેતા 65 વર્ષીય વૃદ્ધ કાસીમભાઈ પર અચાનક ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો અને એક પછી એક 3 થી 4 ધા કરી દીધા હતા જેઓએ બુમાબુમ કરતા લોકો તેને પકડવા માટે દોડ્યા હતા જો કે લાકડાના ડંડા અને ચપ્પુ લઇ પકડવા આવતા લોકો પર પણ હુમલો કરતો હતો.અંતે ફાયર વિભાગ અને પોલીસની ટીમ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. હુમલામાં ઘવાયેલા કાસીમભાઈ હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.