/connect-gujarat/media/post_banners/f28ba6fca053722131a52eb00ed16338eef5c72377d5bab7ea61ac34f5ca8596.jpg)
કાળઝાળ ગરમી વચ્ચે ભરૂચ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કોલ્ડ સ્ટોરેજ બંધ થઈ જતા 5 મૃતદેહ વિકૃત હાલતમાં થઈ ગયા હતા
ભરૂચમાં બિનવારસી મૃતદેહની અંતિમ ક્રિયાની સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલા એનજીઓ ધર્મેશ સોલંકી એ આજે બપોરના સુમારે સિવિલ હોસ્પિટલમાં બિનવારસી મૃતદેહને અંતિમ ક્રિયા માટે લઈ જવા સિવિલ હોસ્પિટલના કોલ્ડ સ્ટોરેજ પહોંચ્યા ત્યારે રેફ્રિજરેશન બંધ હતું. હાલની કાળઝાળ ગરમીમાં ૪૦ ડિગ્રી કરતાં વધુ તાપમાન વચ્ચે મૃતદેહ જાળવવા ખૂબ નીચા તાપમાનની જરૂર રહેતી હોય છે આ વચ્ચે પાંચ મૃતદેહ બંધ પેટીમાં રેફ્રિજરેશન વગર પડી રહેતાં વિકૃત હાલતમાં થઈ જતા ધર્મેશ સોલંકીએ સિવિલ હોસ્પિટલના સત્તાધીશોની લાપરવાહી અંગે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે આ વિકૃત હાલતમાં થયેલા મૃતદેહ અમારે શહેરની વચ્ચેથી લઇ જવા પડતા હોય છે જે અત્યંત દુર્ગંધ હાલતમાં હોવાથી લોકોનો આક્રોશ અમારી ઉપર ભભૂકી ઊઠે છે તદુપરાંત અમને કોઈ સરકારી એમ્બ્યુલન્સ કે ગાડી પણ આપવામાં આવતી નથી જેના કારણે આ ડી કમ્પોઝ હાલતમાં થયેલા મૃતદેહના અંતિમ ક્રિયા કરવા લઈ જતી વેળાએ અમને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જો આવું જ થતું રહેશે તો આવનારા સમયમાં બિનવારસી મૃતદેહોને અંતિમ ક્રિયા કરવાનું ટાળવું પડશે
આ સમગ્ર મામલે સિવિલ એડમિનિસ્ટ્રેશન ગોપીકા મેખિયાને પૂછતાં જણાવ્યું હતું કે થોડી ટેક્નિકલ કારણસર કોલ્ડ સ્ટોરેજમાં ખામી સર્જાતા બંધ થયું હતું જેની જાણ બિનવારસી મૃતદેહોની અંતિમ ક્રિયા કરનાર ધર્મેશ ભાઈ સોલંકી દ્વારા અમને કરાતા તાત્કાલિક માણસો મોકલીને ખામી દૂર કરી કોલ્ડ સ્ટોરેજ રૂમ કાર્યરત કરી દેવામાં આવ્યું છે