Connect Gujarat
ભરૂચ

ભરૂચ:અંકલેશ્વરની જયાબહેન મોદી હોસ્પિટલમાં બે મહિલાના કેન્સરની જટીલ સર્જરી સફળતા પૂર્વક પાર પડાય

જયાબેન મોદી હોસ્પિટલમાં 95 વર્ષીય મહિલાના સ્તન કેન્સરની અને 42 વર્ષીય મહિલાના ગુદામાર્ગના કેન્સરની સફળ સર્જરી કરવામાં આવી હતી.

X

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં 95 વર્ષીય મહિલાના સ્તન કેન્સરની અને 42 વર્ષીય મહિલાના ગુદામાર્ગના કેન્સરની સફળ સર્જરી કરવામાં આવી હતી.

અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સંચાલિત જે.બી.મોદી કેન્સર સેન્ટરમાં કંચનબેન પટેલને 95 વર્ષની ઉંમરે સ્તન કેન્સર હોવાનું જણાયું હતું. દર્દીનું વજન માત્ર 35 કિલો હતું. સમય વેડફ્યા વગર ફૂલ ટાઈમ કેન્સર સર્જન ડૉ. દિવ્યેશ પાઠક દ્વારા દર્દીનું ઝડપથી નિદાન કરવામાં આવ્યું ત્યારબાદ જરૂરી તપાસ કરી, યોગ્ય સાવચેતી સાથે દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું અને સમગ્ર કેન્સર દૂર કરવામાં આવ્યું. ઓપરેશન બાદ દર્દી હરતું ફરતું થતા, તેને ફક્ત બે દિવસમાં જ રજા આપવામાં આવી. બીજા એક કેસમાં, ભરૂય જિલ્લામાં સૌ પ્રથમવાર જે બી મોદી કેન્સર સેન્ટરમાં ખુબજ મોટી અને જટિલ એવી ગુદામાર્ગના કેન્સર ની દૂરબીન દ્વારા ટોટલ લેપ્રોસ્કોપીક એબ્કોમિનોપેરીનલ રીસેકસન સફળતાપૂર્વક સર્જરી કરવામાં આવી હતી. જેમાં 42 વર્ષીય સવિતાબેનને ગુદા નહેર એનલ કેનાલના ઉપલા ભાગના સમાવેશ સાથે નીચલા ગુદામાર્ગના કેન્સર હોવાનું નિદાન થયું હતું.દર્દીની ઓ-એડજુવંટ કિમોથેરાપી અને રેડિયેશન થેરાપી આપવામાં આવી હતી અને ત્યારબાદ ડૉ. દિવ્યેશ પાઠક દ્વારા સર્જરી કરી કેન્સરનું સંપૂર્ણ નિદાન કરવામાં આવ્યું હતું. ખુબજ જટિલ અને મોટી સર્જરી હોવા છતાં દર્દીએ બીજા જ દિવસથી સામાન્ય દિનચર્યા શરૂ કરી દીધી હતી.

Next Story