ભરૂચ : કોંગ્રેસ ઉઠાવશે કામદારોના પ્રશ્નો, અશોક પંજાબીની હાજરીમાં બેઠક મળી

ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યલાય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી અને કામદાર નેતા અશોક પંજાબી કામદારની અધ્યક્ષતમાં બેઠક યોજવામાં આવી હતી.

New Update
ભરૂચ :  કોંગ્રેસ ઉઠાવશે કામદારોના પ્રશ્નો, અશોક પંજાબીની હાજરીમાં બેઠક મળી

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યલાય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી અને કામદાર નેતા અશોક પંજાબી કામદાર આગેવાનો અને કોંગીજનો સાથે શ્રમિકોની સમસ્યા અને માંગના મુદ્દે બેઠક કરી આંદોલનની રણનીતિની માહિતી આપી હતી.

ભરુચ જિલ્લા કોંગ્રેસ સમિતિ કાર્યલાય ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અગ્રણી અને કામદાર નેતા અશોક પંજાબી કામદારની અધ્યક્ષતમાં બેઠક યોજવામાં આવી હતી, જેમાં કામદાર અને કોંગ્રેસ અગ્રણી ગુજરાતના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ અસંગઠિત કામદારોના પ્રશ્નોના મુદ્દે સરકારની નીતિ સામે વિરોધ વ્યક્ત કરી આગામી દિવસો માં શ્રમિક આંદોલનની રુપરેખા ઘડી રહ્યા છે.જે સંદર્ભે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગી અને શ્રમિક સંગઠનો ના આગેવાનો સાથે બેઠક યોજી હતી.જેમાં ઉધોગોમાં કામદારોની અસુરક્ષા,ખાનગીકરણ તેમજ બાંધકામ સહિત વિવિધ ક્ષેત્રના અસંગઠિત કામદારોના લગુત્તમ વેતન, નોંધણી, લેબર કોર્ટ અને કચેરીઓમાં ખાલી જગ્યા ભરવા વિગેરે અંગે ચર્ચાવિચારણા કરી હતી.

આગામી દિવસોમાં કામદારોના મુદ્દે સૌ પ્રથમ 14 મી ફેબ્રુઆરીએ જિલ્લા મથકે આવેદનપત્ર પાઠવવા સાથે રાજ્ય અને રાષ્ટ્ર વ્યાપી આંદોલનની રૂપરેખાની માહિતી આપી હતી.આ બેઠક માં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર પ્રમુખ વિકી શોખી, સહિતના કોંગી અગ્રણીઓ અને કામદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Read the Next Article

નર્મદા : ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગરની લીધી મુલાકાત

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મી, જુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

New Update

ખાતરી સમિતિSOUની મુલાકાતે

સભ્યોએ લીધીSOUની મુલાકાત

સરદાર સાહેબની પ્રતિમાના કર્યા દર્શન

ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા

આ પ્રસંગે પીએમ મોદીનો માન્યો આભાર

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિએ 10મીજુલાઈના રોજ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરની મુલાકાત લીધી હતી,અને સરદાર વલ્લભાઇ પટેલની ભવ્ય પ્રતિમા નિહાળીને મંત્રમુગ્ધ બન્યા હતા.

ગુજરાત વિધાનસભા સચિવાલય દ્વારા રચાયેલી ખાતરી સમિતિના પ્રમુખ કિરીટસિંહ રાણાની આગેવાની હેઠળ સમિતિના સભ્ય કિરીટકુમાર પટેલ,સુખાજી ઠાકોર હાર્દિક પટેલકિરીટસિંહ ડાભી અને ભગા બારડે સ્ટેચ્યુ ઓફ યુનિટી (SOU) પરિસરની મુલાકાત લીધી હતી.સભ્યોએ લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી આ ભવ્ય પ્રતિમાની સમક્ષ ઊભા રહીને ગૌરવની લાગણી અનુભવી હતી. આ પ્રસંગે તેમણે સરદાર સાહેબના વિચારો અને દેશની એકતા અને અખંડિતતા માટે આપેલ બહુમૂલ્ય યોગદાનને યાદ કરીને પ્રતિમાના દર્શન કરીને ભાવવંદના કરી હતી.

આ પ્રસંગે સમિતીના સભ્ય હાર્દિક પટેલે જણાવ્યુ કેસ્ટેચ્યુ ઓફ યુનિટી માત્ર પ્રતિમા નથી પણ ભારત દેશના સ્વાભિમાનનું સ્થાન છેસરદાર પટેલનો શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સ્ટેચ્યુ ઓફ યુનિટીના માધ્યમથી સમગ્ર ભારતમાં પ્રસર્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રદર્શનમાં સરદાર પટેલે કરેલા સંઘર્ષની હકીકત બતાવવાનો પ્રયાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યો છે. 

ખાતરી સમિતીના સભ્ય કિરીટ પટેલે પોતાના પ્રતિભાવ વ્યક્ત કરતા જણાવ્યું કેઆજે સમિતિના ચેરમેન અને સભ્યો સાથે મુલાકાત કરીસૌથી પહેલા સુંદર પ્રતિમા બનાવવાનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર  મોદીને આવ્યોતેમને અભિનંદન આપું છુઆજે વિશ્વસ્તરે સુંદર મૂર્તિ તેઓએ બનાવી છે. લોખંડી પુરુષ સરદાર પટેલે સમગ્ર ભારતને એક તાંતણે જોડયો હતોતેમનું યોગદાન લોકોના દિલ અને દિમાગમાં રહે તે માટે પ્રદર્શન કક્ષમાં સુંદર વ્યવસ્થા કરી છે તેમને અભિનંદન આપુ છે અને ખાસ કરીને જે લોકોને આ વિચાર આવ્યો હોય તેમનો આભાર માનું છુ.