રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને ભરૂચ જિલ્લા કોંગ્રેસની શ્રદ્ધાંજલી...

જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ગેમઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

રાજકોટ ગેમઝોન દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને ભરૂચ જિલ્લા કોંગ્રેસની શ્રદ્ધાંજલી...
New Update

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રાજકોટ ગેમઝોનની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવી હતી.

ભરૂચ શહેરના રેલ્વે સ્ટેશન સ્થિત બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે રાજકોટના ગેમઝોનમાં આગ લાગવાની કરૂણ ઘટનામાં જીવ ગુમાવનાર દિવંગત આત્માઓને ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાસુમન અર્પણ કરતાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, પૂર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, જિલ્લા પ્રવકતા નાઝુ ફડવાલા, પાલિકા વિપક્ષ નેતા સમસાદ અલી સૈયદ સહિતના અગ્રણીઓ અને કાર્યકરોએ મીણબત્તી પ્રગટાવી દિવંગતોના આત્માની શાંતિ માટે પ્રાર્થના સહ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી.



#CGNews #Fire #District Congress #Rajkot Gamezone Tragedy #Death #tributes #Gujarat #Bharuch
Here are a few more articles:
Read the Next Article