ભરુચ : નર્મદાનાં પુરથી થયેલ ભારે તારાજીના પગલે લોકોમાં જોવા મળી નારાજગી, સરકાર પાસે કરાઇ સહાયની માંગ....

નર્મદા નદીમાં આવેલા પૂરે શહેર તેમજ અનેક જિલ્લાઓમાં ભારે તારાજી સર્જી છે.

New Update
ભરુચ : નર્મદાનાં પુરથી થયેલ ભારે તારાજીના પગલે લોકોમાં જોવા મળી નારાજગી, સરકાર પાસે કરાઇ સહાયની માંગ....

નર્મદા નદીમાં આવેલા પૂરે શહેર તેમજ અનેક જિલ્લાઓમાં ભારે તારાજી સર્જી છે. પૂરના કારણે લોકોના સરસામાન સહિત મકાનો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. નર્મદા ડેમમાંથી છોડવામાં આવેલા 18 લાખ ક્યુસેક પાણીના કારણે જૂના ભરૃચ ના ફુરજા, ચાર રસ્તા, દાંડિયા બજાર સહિતના નીચાણવાળા વિસ્તારોમાં આવેલા મંદિરો, દુકાનો અને મકાનોમાં પુરના પાણી ઘુસી જતાં ભારે નુક્સાન થયું છે. એક જ રાતમાં પુરના પાણી રોકેટ ગતિએ ફરી વળતા લોકો હતપ્રત બની ગયા હતા. જેના કારણે માલ સામાનને ભારે નુક્સાન થવા પામ્યું છે. ફુરજા રોડ પર આવેલ પૌરાણિક દત્ત મંદિરમાં પણ પુરના પાણીએ ભારે તારાજી સર્જી છે. પૂરના પાણી મંદિરમાં અચાનક જ આવી જતાં અહીના પૂજારી ઓમ મહારાજ ગભરાય ગયા હતા અને અનાજ સહિત ગૌશાળામાં પણ નુક્સાન થયું હોવાનું જણાવ્યુ હતું. ભરૃચમાં નર્મદાના પુરથી થયેલ ભારે તારાજીના પગલે લોકોમાં નારાજગી સાથે રોષ જોવા મળી રહ્યો છે અને સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે.

Read the Next Article

ભરૂચ: જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, 4 તાલુકામાં સરેરાશ 2 ઇંચ વરસાદ

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસુ જામ્યું છે ત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. રવિવારના રોજ પણ સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ નવ

New Update
fdf

ભરૂચ શહેર અને જિલ્લામાં ફરી એકવાર ચોમાસુ જામ્યું છે ત્યારે અવિરત વરસાદ વરસી રહ્યો છે. રવિવારના રોજ પણ સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ જિલ્લાના તમામ નવ તાલુકામાં વરસાદ નોંધાયો હતો.

ભરૂચ જિલ્લામાં વરસાદના તાલુકામાં આંકડા પર નજર કરીએ તો જંબુસર 1 ઇંચ,આમોદ 14 મી.મી.,વાગરા 2.5 ઈંચ,ભરૂચ 16 મી.મી.,ઝઘડિયા 2 ઇંચ,અંકલેશ્વર 11 મી.મી.,હાંસોટ 2 ઇંચવાલિયા 2 ઇંચ,નેત્રંગમાં 18 મી.મી.વરસાદ નોંધાયો હતો

Latest Stories