/connect-gujarat/media/post_banners/1bd98687641957da2508da2000b7660f67205ec8460e621d7644e8ad180acc21.jpg)
ભરૂચની રાજપુત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભાના ભાજપના કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૃચની રાજપૂત છાત્રાલય ખાતે વાગરા વિધાનસભાનું કાર્યકર્તા સંમેલન યોજાયું હતું.જેમાં ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાએ મોદી સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓ વર્ણવી આપ અને કોંગ્રેસ પર શાબ્દિક પ્રહાર કર્યા હતા.વાગરા વિધાનસભાના કાર્યકર્તા સંમેલન દરમ્યાન વીજળી એ વિક્ષેપ પાડતા થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાતા કાર્યકર્તાઓએ મોબાઈલ ટોર્ચ દ્વારા મનસુખ વસાવાનો ઉત્સાહ વધાર્યો હતો.આ સંમેલનમાં ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા