ભરૂચ : ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળની નવી ટીમમાં ભરૂચને "ઠેંગો"

New Update
ભરૂચ : ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળની નવી ટીમમાં ભરૂચને "ઠેંગો"

ગુજરાતમાં નવા મુખ્યમંત્રી બાદ હવે નવા મંત્રીમંડળની રચના કરી દેવામાં આવી છે પણ ભરૂચ જિલ્લાના ત્રણ ધારાસભ્યોમાંથી એકને પણ મંત્રી નહિ બનાવતાં ખુદ પક્ષમાં જ નારાજગી જોવા મળી છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જાહેરમાં નારાજગી વ્યકત કરી છે..

ભુપેન્દ્ર પટેલના મંત્રીમંડળમાં ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ અથવા વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણાનું નામ હોટ ફેવરીટ હતું. છેલ્લી ઘડીએ ભરૂચ જિલ્લાની બાદબાકી કરી નાંખવામાં આવી છે. છેલ્લી ઘડી સુધી દુષ્યંત પટેલનું નામ ચર્ચામાં રહયું પણ છેલ્લી ઘડીએ તેમનું નામ કપાય ગયું હતું. ઔદ્યોગિક દ્રષ્ટિએ તથા કોમી દ્રષ્ટિએ ભરૂચ જિલ્લો મોખરાનું સ્થાન ધરાવતો હોવાથી ભરૂચ જિલ્લાને પ્રતિનિધિત્વ મળશે તે વાત ચર્ચાની એરણે હતી. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ પણ ચાર ટર્મથી ચુંટાઇ આવતાં હોવાથી તેમને મંત્રી બનાવવામાં આવે તેવી પ્રબળ શકયતાઓ હતી પણ છેલ્લી ઘડીએ તેમના અરમાનો ઉપર પાણી ફેરવાય ગયું હતું. આ બાબતે દુષ્યંત પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે આ

ભરૂચના સાંસદ મનસુખ વસાવાને મંત્રીમંડળમાં ભરૂચને સ્થાન નહિ મળે તે વાતનો સવારથી અણસાર આવી ગયો હતો. પહેલાં તેમણે સોશિયલ મિડીયામાં પોસ્ટ મુકી પોતાની નારાજગી વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ભરૂચ ભાજપના આગેવાનો અલગતાવાદી તાકાતો સામે લડી રહયાં છે અને પાર્ટીની વિચારધારાને વરેલાં કાર્યકરો પાર્ટીમાં છે તેથી પાર્ટીએ મંત્રીમંડળમાં ભરૂચ જિલ્લાને પ્રતિનિધિત્વ આપવું જોઇએ..

ભરૂચ જિલ્લાની બાદબાકી થતાં ભરૂચમાં કસક સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ગણ્યાગાંઠયા કાર્યકરો ઉપસ્થિત હતાં. કાર્યાલયમાં કાગડા ઉડતાં જોવા મળ્યાં હતાં. ભરૂચ જિલ્લામાંથી એક માત્ર મંત્રી ઇશ્વરસિંહ પટેલને પણ મંત્રીમંડળમાંથી પડતા મુકવામાં આવ્યાં છે. ભરૂચ જિલ્લાને થયેલા અન્યાય બાબતે પુર્વ મંત્રીમંત્રી ખુમાનસિંહ વાંસીયાએ તેમની પ્રતિક્રયા આપી છે.