/connect-gujarat/media/post_banners/b8288ed1fcf7e55cbcb69a44f642c53a81dbbdb9902ca8a22d85305ec6f31f10.jpg)
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે પર આવેલ અંસાર માર્કેટના ભંગારના બે ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નિકળતા દોડધામ મચી જવા પામી હતી
અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર 48ને અડીને અંસાર માર્કેટ આવેલું છે. જેમાં અનેક વખતે આગ લાગવાના બનાવો બનતા રહે છે. આજે સવારે પણ અંસાર માર્કેટમાં આવેલા પુઠ્ઠાના ગોડાઉનમાં કોઈ કારણોસર આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી. આગના કારણે સ્થાનિકોમાં અફરા તફરીનો માહોલ છવાયો હતો.બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ તેમની ટીમ સાથે ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા. ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાની જહેમત ઉઠાવી હતી. જોકે આગમાં કોઈ જાનહાનિ નહીં થતા સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.