ભરૂચ: શહેરમાં પાણી પહોંચાડતી અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ડભાલી ગામ નજીક ગાબડુ, ખેતરો થયા જળબંબાકાર

નર્મદા યોજનાનું પાણી પૂરી પાડતી અમ્લેશ્વર કેનાલમા ડભાલી ગામ પાસે ગાબડુ પડતાં ખેડૂતોના ઊભા પાકને નુકશાન થયું છે જેના પગલે વળતરની માંગ કરવામાં આવી છે

New Update
ભરૂચ: શહેરમાં પાણી પહોંચાડતી અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં ડભાલી ગામ નજીક ગાબડુ, ખેતરો થયા જળબંબાકાર

ભરૂચ શહેરને નર્મદા યોજનાનું પાણી પૂરી પાડતી અમ્લેશ્વર કેનાલમા ડભાલી ગામ પાસે ગાબડુ પડતાં ખેડૂતોના ઊભા પાકને નુકશાન થયું છે જેના પગલે વળતરની માંગ કરવામાં આવી છે

ભરૂચ શહેરને પાણી પૂરું પાડતી અમલેશ્વર મેઈન કેનાલમાં ભરૂચ તાલુકાના ડભાલી નજીક મોટું ગાબડું પડ્યું છે.અને આ ગાબડું અંદાજિત ૨૦મીટર પહોળું હોવાના કારણે લાખો લિટર પાણી નજીકના ખેતરોમાં ફરી વળતા ખેડૂતોના તૈયાર પાકમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે. જેના પગલે ખેડૂતોને પાયમાલ થવાનો વારો આવ્યો છે

તો બીજી બાજુ ભરૂચ શહેરમાં આજ કેનાલ મારફતે ભરૂચવાસીઓને પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે પરંતુ ડભાલી ગામ નજીક કેનાલમાં મોટું ગાબડું પડતા પાણીનો પ્રવાહ ખેડૂતોના ખેતર તરફ વળી જવાના કારણે પાણીનો પ્રવાહ ભરૂચ આવતો અટકી ગયો છે તેમજ હવે કેનાલનું રીપેરીંગ કરવાની કામગીરી હાથ ધરવા આવતા આગામી છ દિવસ સુધી પાણી મળી શકે તેમ નથી.જે અંગે ભરુચ નગર પાલિકા વોટર વર્કસ કમિટીના ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિએ જણાવ્યું છે કે પાલિકા દ્વારા હાલ રિઝર્વ વોટરનો ઉપયોગ કરી શહેરીજનોને પાણી પૂરું પાડવાના પ્રયાસો કરાઇ રહ્યા છે  

Read the Next Article

ભરૂચ: ખાણખનીજ વિભાગે ગેરકાયદેસર રેતી ખનન અને વહન પર કરી લાલ આંખ, રેતી ભરેલા 10 ડમ્પર સહિત રૂ.4.35 કરોડનો મુદ્દામાલ કર્યો જપ્ત

ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ગત સપ્તાહમાં ૧૮ મી જૂન ૨૦૨૫ થી ૨૧ જૂન ૨૦૨૫નાં દિવસોમાં દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ -અલગ સ્થળએ આકસ્મિક

author-image
By Connect Gujarat Desk
New Update
WhatsApp Image 2025-06-23 at 2.33.37 PM (1)
ભરૂચ જિલ્લા ભૂસ્તરશાસ્ત્રીની ટીમ દ્વારા ગત સપ્તાહમાં ૧૮ મી જૂન ૨૦૨૫ થી ૨૧ જૂન ૨૦૨૫નાં દિવસોમાં દરમ્યાન ભરૂચ જીલ્લાના અલગ -અલગ સ્થળએ આકસ્મિક તપાસ કરતા ABC ચોકડી ભરૂચ, દહેજ, રાજપારડી, ઝગડિયા ખાતે બ્લેક્ટ્રેપ અને સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરતાં કુલ ૭ વાહનોને સીઝ કરી કુલ- ૩.૪૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી જીલ્લા સેવાસદન, રાજપારડી પોલીસ સ્ટેશન તથા ઝગડિયા પોલીસ સ્ટેશન ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. જેમાં આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે.વધુમાં, તારીખ ૨૦ જૂન ૨૦૨૫ના રોજ ભરૂચ તાલુકાના મંગલેશ્વર ખાતેથી પસાર થતી નર્મદા નદી પટ્ટ વિસ્તારમાં સાદી રેતી ખનીજના બીનઅધિકૃત ખનન અને વહનની તપાસ હાથ ધરતા ૨ એક્ષેવેટર મશીન અને 3 વાહનો ડમ્પર વાહનો એમ મળી કુલ ૯૦ લાખનો મુદામાલ સીઝ કર્યો અને સ્થળે મળી આવેલી સાદી રેતી ખનીજના ઢગલાની માપણી કરી નિયમોનુસારની કાર્યવાહી હાથ ધરી હતી.