ભરૂચ : જંબુસર-મગણાદ નજીક નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ગાબડું, પાકમાં નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ

જંબુસર તાલુકા મગણાદ નજીક નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ભરાય જતાં ઊભા પાકને નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાય રહી છે.

New Update

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકા મગણાદ નજીક નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ગાબડું પડતાં આસપાસના ખેતરોમાં પાણી ભરાય જતાં ઊભા પાકને નુકશાન જવાની ખેડૂતોમાં ભીતિ સેવાય રહી છે.

ભરૂચ જિલ્લામાં કેનાલમાં ગાબડા પડવાનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે, ત્યારે જંબુસર અને મગણાદ વચ્ચે અણખીથી મહાપુરા તરફ જતી નર્મદા નિગમની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું છે. કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. ખેતરોમાં પાણી ભરાય જવાથી તુવેર, કપાસ સહિતના તૈયાર પાકને મોટું નુકશાન થાય તેવી ખેડૂતોમાં ભીતિ સેવાય રહી છે. જંબુસર તાલુકામાં અગાઉ પણ કેનાલમાં ગાબડા પાડવાના કારણે ખેડૂતોને નુકશાની વેઠવી પડી છે, ત્યારે કેનાલમાં પડેલા ગાબડાંનું નર્મદા નિગમ દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં JCBની મદદથી માટી પુરી હાલ પૂરતું ગાબડું પુરાવામાં આવ્યું છે. તો બીજી તરફ, કેનાલમાં ભંગાણ સર્જાતા ભ્રષ્ટાચારનું ગાબડું પડ્યું હોવાનો ખેડૂતોએ આક્ષેપ કર્યો છે.

Read the Next Article

અંકલેશ્વર : અંદાડા ખાતે સંત નિરંકારી મિશન દ્વારા મહારક્તદાન શિબિર યોજાઈ,70 જેટલા રકતદાતાઓએ કર્યું બ્લડ ડોનેટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

New Update
  • અંદાડામાં યોજાઈ મહારક્તદાન શિબિર

  • સંત નિરંકારી મિશન દ્વારા કરાયું આયોજન

  • રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી કરાયું આયોજન

  • 70થી વધુ રક્તદાતાઓએ કર્યું રક્તદાન  

  • સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત કરાય છે આયોજન

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પટેલ સ્મૃતિ ભવન ખાતે સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન દિલ્હી ઝોન દ્વારા મહારક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભરૂચની રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સંત નિરંકારી મિશનના સભ્યો દ્વારા 70થી વધુ યુનિટનું રક્તદાન કરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા વર્ષમાં બે વખત રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવે છે,અને સંસ્થાના સભ્યો ઉત્સાહભેર રક્તદાન કરે છે.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી .જેમાં અંદાડા ગામના સરપંચ નીરૂ પટેલ ,સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ઝોન અંકલેશ્વરના સંયોજક આર પી ગુપ્તા વડોદરાના જ્ઞાનપ્રચારક મહાત્મા ચીમન પરમાર,બબન મહાદિક ,સંત નિરંકારી મિશન અને મંડળના સભ્યો તેમજ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.