ભરૂચ : જંબુસર પંથકમાં સગીરાએ ઝાડ પર લટકી ગળે ફાંસો ખાઇ મોતને વહાલું કર્યું…

જંબુસર પંથકમાં એક સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝાડ પર લટકી ફાંસો ખાઇ મોતને વહાલું કરતા ચકચાર વ્યાપી હોવાનું સામે આવ્યું છે

New Update
ભરૂચ : જંબુસર પંથકમાં સગીરાએ ઝાડ પર લટકી ગળે ફાંસો ખાઇ મોતને વહાલું કર્યું…

ભરૂચ જિલ્લાના જંબુસર પંથકમાં એક સગીરાએ કોઈ અગમ્ય કારણોસર ઝાડ પર લટકી ફાંસો ખાઇ મોતને વહાલું કરતા ચકચાર વ્યાપી હોવાનું સામે આવ્યું છે, ત્યારે બનાવના પગલે જંબુસર પોલીસે ઘટના સ્થળે પહોચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

મળતી માહિતી અનુસાર, જંબુસર પંથકના એક ગામમાં 15 વર્ષીય સગીરાએ કોઈ અગમ્ય કારણોસર મોતને વહાલું કરવા તેના ગામની સીમમાં પીલુડીના ઝાડ પર પોતાના દુપટ્ટાથી ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. સદર બનાવની વાત વાયુવેગે ગામમાં પ્રસરતા સીમમાં લોકટોળા ઉમટી પડ્યા હતા. બનાવ અંગે જંબુસર પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટના સ્થળે બીટ જમાદાર સ્ટાફ સાથે દોડી જઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. મૃતક સગીરાના પાર્થિવ દેહને પીએમ અર્થે જંબુસર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. અગમ્ય કારણોસર 15 વર્ષીય સગીરાએ ગળાફાંસો ખાતા પરિવાર અને ગામમાં ગમગીની છવાઇ હતી.

Read the Next Article

ભરૂચ : જિલ્લા જેલમાંથી આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદીની 14 વર્ષ બાદ વહેલી મુક્તિથી પરિવારજનોમાં ખુશી

 ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી.

New Update

આજીવન કેળના કેદીની મુક્તિ

14 વર્ષ બાદ જેલમાંથી મળી મુક્તિ

જેલ અધિક્ષક દ્વારા કરવામાં આવી કાર્યવાહી

સારા વર્તનથી જેલમાંથી મળી મુક્તિ

પરિવારજનોમાં સર્જાયા લાગણીસભર દ્રશ્યો

ભરૂચ જિલ્લા જેલ ખાતે મર્ડર કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા કેદી (કેદી ક્રમાંક 35359) નવીન ઝીણાભાઈ પટેલને રાજ્ય સરકારના નિર્ણય મુજબ આજે વહેલી મુક્તિ મળી હતી. તેમણે અત્યાર સુધી 14 વર્ષથી વધુ સમય જેલમાં વિતાવ્યા હતા અને સમગ્ર અવધિ દરમિયાન તેમનું વર્તન ઉત્તમ રહ્યું હતું.

જેલ અધિક્ષકે જણાવ્યું હતું કેભારતીય ન્યાય સંહિતા (B.N.S.S.)ની કલમ-473 મુજબ પાત્રતા ધરાવતા કેદીની વહેલી મુક્તિ માટે જેલ અધિક્ષક વી.એમ.ચાવડાએ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. સંબંધિત અધિકારીઓ અને જેલ સલાહકાર સમિતિ પાસેથી હકારાત્મક અભિપ્રાય મેળવી સરકારને દરખાસ્ત મોકલવામાં આવી હતી. રાજ્ય સરકારે બાકી રહેલી સજા માફ કરી તેમને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.જેલ બહાર આવતા જ નવીન  પટેલને મળવા તેમના પરિવારજનો અને સ્નેહીજનો હાજર રહ્યા હતા. લાંબા વિરામ પછી મળતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા અને ખુશીની લહેર જોવા મળી હતી.જેલ અધિક્ષકે તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવીને વિદાય આપી હતી.