ભરૂચ : ખત્રીવાડમાં મિકલત પચાવી હોવાના આક્ષેપ સાથે વડોદરાની મહિલાએ BAUDA કચેરીમાં દવા ગટગટાવી..!

મળતી માહિતી અનુસાર, વડોદરા ખાતે રહેતા સંગીતા મહેશભાઈ મહેતાની ભરૂચના ખત્રીવાડ વિસ્તારમાં મિલકત આવેલી છે.

New Update
ભરૂચ : ખત્રીવાડમાં મિકલત પચાવી હોવાના આક્ષેપ સાથે વડોદરાની મહિલાએ BAUDA કચેરીમાં દવા ગટગટાવી..!

ભરૂચના ખત્રીવાડમાં આવેલી મિકલત પર કોઈ વ્યક્તિ દ્વારા કબ્જો કરી બાંધકામ કરવામાં આવતા વડોદરાની મહિલાએ વારંવારની રજૂઆતો બાદ કંટાળીને BAUDA કચેરીમાં જ કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવી લેતા દોડધામ મચી જવા પામી હતી.

મળતી માહિતી અનુસાર, વડોદરા ખાતે રહેતા સંગીતા મહેશભાઈ મહેતાની ભરૂચના ખત્રીવાડ વિસ્તારમાં મિલકત આવેલી છે. જેના પર ભારતી શશીકાંત ધોરવાલાએ ગેરકાયદેસર બાંધ શરૂ કર્યું હોવાના આક્ષેપ સાથે સંગીતા મહેતાએ ભરૂચ-અંકલેશ્વર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (બૌડા)માં આ બાંધકામ બંધ કરાવવા માટે અવારનવાર કુલ 6 જેટલી અરજી કરી હતી. પરતું અધિકારીઓએ તેની અરજી પર ધ્યાન આપ્યું નહોતું, ત્યારે આજે વધુ એક વખત રજુઆત કરવા આવેલી સંગીતા મહેતાએ કંટાળીને અધિકારીની કેબિનમાં જ કોઈ ઝેરી પ્રવાહી ગટગટાવી લેતા કચેરીમાં દોડધામ મચી ગઇ હતી. આ ઘટનાની જાણ અધિકારીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સને કરતા ટીમે સ્થળ પર દોડી આવી તાત્કાલિક મહિલાને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. જોકે, તે બેભાન હાલતમાં હોય તબીબે તેને નિરીક્ષણમાં રાખી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સંગીતા મહેતાએ ઝેરી દવા ગટગટાવી તે વખતે એક સુસાઈડ નોટ પણ લખી હતી. જેમાં પોતાના પુત્રને વોટ્સએપ કરી અને પાકિટમાં મુકી દીધી હતી. જેમાં મહિલાએ આપણી મિલકત પર કોઈએ ગેરકાયદે કબ્જો કરી મકાન બનાવતા હોય, અને અહીંના અધિકારીઓએ રૂપિયા ખાધા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા. જોકે, સમગ્ર ઘટના અંગેની હકીકત મહિલાને હોશ આવે ત્યારે જ જાણવા મળી શકશે. તો બીજી તરફ, આ મામલે બૌડાના અધિકારીનો સંપર્ક કરતા તેઓએ આરડીસી સાથે ચર્ચા બાદ આગળની કાર્યવાહી કરવા જણાવ્યું હતું, ત્યારે આ મામલે એ’ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Read the Next Article

અંકલેશ્વર : ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર બન્યો NH-48, ખરોડ નજીક માર્ગનું સમારકામ હાથ ધરાયું..

અત્યંત બિસ્માર થઇ ગયેલ મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વર નજીક સમારકામ હાથ ધરવામાં આવ્યું ખાડાઓમાંથી પસાર થવામાં વાહન ચાલકોને આંશિક રાહત મળશે

New Update
  • ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર બન્યા માર્ગ

  • મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 બન્યો બિસ્માર

  • હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું

  • બ્લોક સહિત મેટલ થકી પેચિંગ વર્કની કામગીરી શરૂ

  • વાહનચાલકોને ખાડાઓમાંથી પસાર થવામાં રાહત મળી

ભરૂચ જીલ્લામાં ભારે વરસાદના કારણે અત્યંત બિસ્માર થઇ ગયેલ મુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા અંકલેશ્વર નજીક સમારકામ હાથ ધરવામાં આવ્યું છેત્યારે હવે અનેક વાહનચાલકોને ખખડધજ ખાડાઓમાંથી પસાર થવામાં આંશિક રાહત મળશે.

મુંબઇથી સુરતભરૂચવડોદરાને જોડતા નેશનલ હાઇવે નં. 48 પર ચોમાસાની ઋતુ દરમ્યાન ઠેરઠેર ખાડાઓ પડ્યા છે. જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છેત્યારે ભરૂચ જીલ્લામાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર રસ્તાઓની સાથે દરેક બ્રિજ પર તેમજ સાઇડના રોડ પર મસમોટા ખાડાઓ પડ્યા છે. એટલું જ નહીંખાડાઓના કારણે લોકોના વાહનોમાં પણ ભારે નુકશાન થઈ રહ્યું છેઅને લોકોને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે.

 જોકેમાર્ગ પર પડેલા ખાડાઓ પુરવામાં નહીં આવતા ઢગલેબંધ ફરિયાદો નેશનલ હાઇવે ઓથોરીટીની મુખ્ય કચેરીએ પહોચી હતી. જેથી હવેવરસાદ વચ્ચે ઉઘાડ નીકળતાNHAI દ્વારા તાત્કાલિક ધોરણે બિસ્માર માર્ગનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. હાઇવે માર્ગને ખાડામુકત કરવા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે.

અંકલેશ્વરના ખરોડ નજીક હાઇવે માર્ગ પર બ્લોક તેમજ મેટલ મુકીJCBની મદદથી રસ્તા પર પડેલા ખાડાઓને પુરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કેમુંબઈ-વડોદરા નેશનલ હાઇવે નં. 48 પર હાઈવે ઓથોરિટી દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. જેના કારણે હવે વાહનચાલકોને ખખડધજ ખાડાઓમાંથી પસાર થવામાં આંશિક રાહત મળશે.