Connect Gujarat
ભરૂચ

ભરૂચ: વાગરાના આ ગામમાં પરિણીતાનો મૃતદેહ કબરમાંથી બહાર કઢાયો,જુઓ શું છે કારણ

ખોજબલ ગામે પરિણીતાના શંકાસ્પદ મોતના મામલામાં વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો

X

ભરૂચના વાગરા તાલુકાનાં ખોજબલ ગામે પરિણીતાના શંકાસ્પદ મોતના મામલામાં વહીવટી તંત્રના અધિકારીઓની હાજરીમાં મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો

ભરૂચના વાગરા તાલુકાનાં ખોજબલ ગામે પરિણીતાનું મોત નિપજયુ હતું જે બાદ તેની કબ્રસ્તાનમાં દફન વિધિ પણ કરી દેવામાં આવી હતી.પરિણીતાનું હ્રદયરોગના હુમલાના કારણે મોત નિપજયુ હોવાનું સાસરી પક્ષ દ્વારા જણાવવામાં આવ્યું હતું જો કે મૃતક યુવતીના પિતાએ આ બાબતે શંકા વ્યક્ત કરી જેના આધારે આજરોજ પ્રાંત અધિકારીની મંજૂરી બાદ કબ્રસ્તાનમાંથી યુવતીનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો હતો. મૃતક પરિણીતાના મોઢા અને ગાળાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા હતા જેના પગલે પરિવારજનોએ દ્વાર ફરિયાદ નોંધાવવામાં આવી હતી ત્યારે પરિણીતાનું કુદરતી મોત નહીં પરંતુ તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ અંગે પરિણીતાના પરિવારજનો દ્વારા સાસરિયાઓ સામે અનેક આક્ષેપ કરવામાં આવ્યા છે

Next Story