ભરૂચ: વાગરામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રામ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થવાની તારીખ જણાવી, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

ભરૂચના વાગરા ખાતે ભાજપની જનસભા યોજાય હતી જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા

New Update
ભરૂચ: વાગરામાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે રામ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણ થવાની તારીખ જણાવી, કોંગ્રેસ પર કર્યા પ્રહાર

ભરૂચના વાગરા ખાતે ભાજપની જનસભા યોજાય હતી જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ દ્વારા પુરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે જેના ભાગરૂપે ભરૂચની વાગરા વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વાગરા બેઠકના ઉમેદવાર અરૂણસિંહ રણા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, સાંસદ મનસુખ વસાવા, પ્રદેશ ભાજપના પૂર્વ મહામંત્રી ભરતસિંહ પરમાર સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે તેમના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા

અમિત શાહે તેમના સંબોધનમાં જણાવ્યું હતું નર્મદા પરિક્રમાની પવિત્ર ભૂમિ એવી ભરૂચની ભૂમિને હું પ્રણામ કરૂ છું. કોંગ્રેસે અનેક વર્ષ સુધી રાજ કર્યું પણ ઘર અને ગજવા ભરવા સિવાય કોઈ કામ નથી કર્યું. ગુજરાતને કોમી રમખાણોની આગમાંથી બહાર લાવી વિકાસના માર્ગે દોડાવવાનું કામ ભાજપે કર્યું છે.કોંગ્રેસે ગરીબી હટાવવાના નામે ગરીબોને હટાવી દીધા.

કશ્મીરમાંથી 370ની કલમ નાબૂદ કરી હંમેશા માટે ભારત સાથે જોડવાનું કામ પી.એમ.નરેન્દ્ર મોદીએ કર્યું છે. રામ મંદિર મુદ્દે નિવેદન આપતા અમિત શાહે જણાવ્યું હતું કે 1 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂરું થશે. સાથે જ તેઓએ રાહુલ ગાંધીને અયોધ્યાની ટીકીટ બુક કરાવી લેવા આહવાહન કર્યું હતું

Read the Next Article

ભરૂચ: નર્મદા પરિક્રમાવાસીઓ માટે CM ભુપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય, હાંસોટના વમલેશ્વરમાં 100091 ચો.મી.જમીન ફાળવાય

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

New Update
bhupendra

ભરૂચના હાંસોટના વમલેશ્વર ખાતે નર્મદા પરિક્રમા પથના યાત્રાધામોના વિકાસ માટે મુખ્યમંત્રીએ મહત્વપૂર્ણ નિર્ણય લઈ 10091 ચો. મીટર જમીનની ફાળવણી કરી છે.

નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે પ્રવાસન ખાતા (ઉદ્યોગ અને ખાણ) વિભાગને વહીવટી હુકમ- 3 હેઠળ જમીન તબદીલ કરી આપવામાં આવી છે.ગુજરાત રાજ્યમાં નર્મદા પરિક્રમા આગવી ઓળખ સાથે ધાર્મિક મહત્વ ધરાવે છે. વમલેશ્વર યાત્રાધામ સહિત નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા અને પરિક્રમાપથના યાત્રાધામોના વિકાસથી ગુજરાત અને મઘ્યપ્રદેશ રાજ્યના હજારો પરિક્રમાવાસીઓ અને શ્રદ્ધાળુને પડતી વિવિધ મુશ્કેલીઓ હવે ભૂતકાળ બનશે.રાજ્ય સરકારના આ સંવેદનશીલ નિર્ણયથી ખરા અર્થમાં ભરૂચ જિલ્લામાં પ્રવાસન વિભાગને પ્રોત્સાહન મળશે તેમજ સ્થાનિકોને પણ તેનો લાભ થનાર છે. નર્મદા પરિક્રમા માર્ગ પર આવેલા યાત્રાધામો અને પરિક્રમાપથ ખાતે યાત્રાધામોના વિકાસની કામગીરી અર્થે મહત્વનો નિર્ણય લઇ જમીન ફાળવવાની મુખ્યમંત્રીએ મંજૂરી આપી છે. પ્રવાસન ખાતા દ્વારા વમલેશ્વર ખાતે સર્વે નંબર 553 ની 10091 ચોરસ મીટર જમીન ફાળવવા અંગે સરકારમાં માંગણી કરવામાં આવી હતી. જેને અનુલક્ષી મુખ્યમંત્રીએ આ નિર્ણય કર્યો છે.
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકામાં આવેલું વમલેશ્વર ધાર્મિક સ્થળોમાં ખૂબ વિખ્યાત યાત્રાધામ છે. આ યાત્રાધામ સાથે નર્મદા પરિક્રમા ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વહીવટી મંજૂર હુકમ 3 હેઠળ તબદીલ કરતા મુખ્યમંત્રીનો આ નિર્ણય મહત્વપૂર્ણ બની રહેશે.
Latest Stories